શહેરના ઢેબર રોડ પર ધારેશ્વર સોસાયટીમાં પિતાએ સંતાનો પર છરી વડે હુમલો કરી દેતા ભાઇ-બહેન બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતાં. પુત્ર લગ્ન બાદ અલગ રહેવા જતો રહ્યો હોય તે બાબતે માથકૂટ ચાલતી હોય તે બાબતે સમજાવવા જતા પિતાએ ઉશ્કેરાય આ હુમલો કર્યો હતો.જે અંગે પુત્રએ ભકિતનગર પોલીસ મથકમાં પિતા સામે ફરિયાદ નોંધાવી છે.
યુવાનના લગ્ન ત્રણ માસ પૂર્વે લગ્ન થયા છે
બનાવની જાણવા મળતી વિગતો મુજબ, કવિ કલાપી ટાઉનશીપના ફ્લેટ નંબર-107 માં રહેતા 21 વર્ષીય યુવાન અનુજ નીલેશભાઈ કાચાએ ભક્તિનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પિતા નિલેશ કાચાનું નામ આપ્યું છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે પ્રાઇવેટ નોકરી કરે છે. યુવાનના લગ્ન ત્રણ માસ પૂર્વે લગ્ન થયા છે. ત્યારથી માતા-પિતાથી અલગ રહે છે.
આપણે એક બીજાના ઘરે આવવા જવાનુ રાખીએ
ગઈ તા. ૦૪/૦૬/૨૦૨૫ ના યુવાનની મોટી બહેન સંજના ઘરે આવી હતી. ત્યારે ભાઇ બહેનએ નક્કી કર્યુ હતું કે, પિતાને સમજાવવા ઘરે જઇએ. જેથી ભાઇ-બહેન ઢેબર રોડ સ્થિત ધારેશ્વર સોસાયટી શેરી નં-૩ બાલાજી મકાન ખાતે રહેતા પિતાને સમજાવવા ગયા હતા. ઘરમા તેમના માતા જયશ્રીબેન તથા પિતા નિલેશભાઈ હાજર હતા. ત્યારે ભાઇ બહેનએ માતા-પિતાને કહ્યું હતું કે, આપણે એક બીજાના ઘરે આવવા જવાનુ રાખીએ.
તમારે અમારા ઘરે આવવુ નહીં
જેથી પિતા નીલેશભાઈએ કહ્યું હતું કે, તમારે અમારા ઘરે આવવુ નહીં અને હું મરી જાવ તો પાણી પિવડાવવા પણ ન આવતા. બાદમાં તે એકદમ ઉશકેરાઇ ગયા હતા અને ઘરના મંદીરમા પડેલી છરી લઇ આવી યુવાનને એક ઘા કપાળના ભાગે મારી દીધો હતો. તેની બહેન સંજનાને પણ બન્ને હાથે કોણીથી ઉપરના ભાગે બાવડા ઉપર છરીનો ઘા ઝીંકી દેતા બન્નેને લોહીલુહાણ થઇ ગયા હતાં. બાદમાં યુવાન બહેનને લઇને ત્યાંથી નિકળી જઇ બનેવી રોનકભાઇને ફોન કર્યો હતો.બાદમાં બંનેને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતાં. બનાવ અંગે ભકિતનગર પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationPM મોદી G7 સમિટમાં લેશે ભાગ, કેનેડાના વડાપ્રધાન કાર્નીએ ફોન કરીને આપ્યું આમંત્રણ
June 06, 2025 08:11 PMગુજરાતમાં કોરોનાનો હાહાકાર: એક જ દિવસમાં 170 નવા કેસ, એક્ટિવ કેસ 700ને પાર
June 06, 2025 07:53 PMકેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ રિલાયન્સના વનતારાની મુલાકાત વિશે શુ કહ્યું, જુઓ આ વિડીયો
June 06, 2025 07:44 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech