અમદાવાદમાં એક હત્યાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરના બાપુનાગર વિસ્તારમાં રહેતા પિતાએ જ બાળકની સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવી દીધું હતું. જેના કારણે 10 વર્ષના માસૂમનું મૃત્યું નિપજતા ભારે ચકચાર મચી જવા પામી છે. હાલ આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
આરોપી પિતાની ધરપકડ
અમદાવાદમાં પિતાને લાંચન લાગડતી ઘટના સામે આવી છે. શહેરના બાપુનગર વિસ્તારમાં રહેતા હત્યારા પિતાએ પોતાના જ માસુમ પુત્રને પાણીમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવી પીવડાવી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ હત્યાની ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. જો કે, આ અંગે પોલીસને જાણ થતા ઘટનાસ્થળે પહોંચી હતી અને આરોપી પિતાની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
30 ગ્રામ જેટલું સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવી દીધું
આ ઘટનાની વિગત એવી છે કે, બાપુનગરના નર્મદા આવાસમાં રહેતા કલ્પેશ ગોહિલે પોતાના 10 વર્ષીય પુત્ર ઓમને 30 ગ્રામ જેટલું સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને પીવડાવીને હત્યા કરી નાખી હતી. પ્રાથમિક તપાસમાં આ માહિતી સામે આવી હતી. અમુક અહેવાલમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે, પતિ-પત્ની વચ્ચે ચાલતી તકરારને લઈને માસૂમની હત્યા નિપજાવી હતી. આ મામલે પોલીસે આરોપી પિતાની ધરપકડ કરી લીધી છે અને આગળની તપાસ હાથ ધરી છે.
પત્ની મહેસાણા ગઈ ને પતિએ ખેલ્યો ખૂની ખેલ
પોલીસના જણાવ્યા અનુસાર પત્ની મહેસાણા ગઈ હતી તે સમયે જ બાળકના પિતાને આત્મહત્યાનો વિચાર આવ્યો હતો. ત્યારે પિતાએ સોડિયમ નાઈટ્રેટ પાણીમાં ભેળવીને તેના બાળકને તો પીવડાવી દીધું હતું. જેનાથી બાળકનું મોત નિપજ્યું. જોકે પોલીસનું એવું કહેવું છે કે, બાળકને કોઈ બીમારી હોવાથી પિતા કંટાળ્યો હતો અને તેના કારણે જ આ પગલું ભર્યું હોવાનું કહેવાય છે. તે પોતે પણ આ હત્યા બાદ આત્મહત્યા કરવાનું વિચારી રહ્યો હતો. પરંતુ તેની હિંમત થઈ નહીં અને તે આ ઘોર પાપ કરી બેઠો.
20 મિનિટમાં જ મોત આપે છે સોડિયમ નાઇટ્રેટ સોડિયમ નાઇટ્રેટ પાઉડરના સ્વરૂપમાં હોય છે અને જો તેને એક ચમચી પાણીમાં મિક્સ કરીને પીવામાં આવે તો 20 મિનિટમાં જ મોત થઈ શકે છે. એકવાર સોડિયમ નાઇટ્રેટ પી લીધું પછી બચવાની સંભાવના રહેતી નથી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech