રાજકોટ માર્કેટ યાર્ડમાં મગફળી-તલ વેંચવા ખેડૂતો ઉમટ્યા: ૧.૩૯ લાખ મણની આવક

  • May 30, 2025 03:08 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)



ચોમાસાના વિધિવત આગમનની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજકોટના બેડી સ્થિત સરદાર વલ્લભભાઇ પટેલ માર્કેટ યાર્ડ ખાતે આજે મગફળી અને તલ સહિતની જણસીઓ વેંચવા માટે ખેડૂતો ઉમટી પડ્યા હતા. રાજકોટ, લોધિકા અને પડધરી તાલુકાના ૧૮૦ ગામોના ખેડૂતોના ૬૦૦ વાહનોને યાર્ડમાં એન્ટ્રી અપાઇ હતી.

વિશેષમાં રાજકોટ યાર્ડના વેપારી વર્તુળોએ જણાવ્યું હતું કે મગફળીમાં બિયારણની ખરીદીને લઈ ધૂમ ડિમાન્ડ નીકળતા મગફળીની ૭૫૦૦૦ મણ, નવા સફેદ ઉનાળુ તલની ૪૪,૦૦૦ મણ અને મેથીની ૨૦,૦૦૦ મણની આવક થઇ હતી. તમામ જણસીઓ ભરેલા વાહનોને માર્કેટ યાર્ડમાં ક્રમવાર પ્રવેશ આપી ઉતરાઈ કરાવવામાં આવી હતી. રાજકોટ માર્કેટ યાર્ડના ચેરમેન જયેશભાઇ બોઘરા તથા ડિરેક્ટરો સહિતના સ્ટાફ દ્વારા ઉતરાઇની વ્યવસ્થા કરવામાં આવી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application