દારૂના દૈત્યના કારણે પરિવારનો માળો વિખેરાયો: પતિ-પત્નીનો આપઘાત

  • April 01, 2025 09:52 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


કલ્યાણપુરના સતાપર ગામનો કરુણ બનાવ


કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે રહેતા અને મૂળ બારડોલી તાલુકાના પરપ્રાંતિય આદિવાસી શ્રમિક દંપત્તિએ ગત તારીખ 30 ના રોજ સજોડે ઝેરી દવા પી લેતા બંનેના નિષ્પ્રાણ દેહ મળ્યા હતા.


આ બનાવ અંગે પોલીસ સુત્રો દ્વારા જાણવા મળતી વિગત મુજબ સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મેવાચી ગામના મૂળ રહીશ અને હાલ કલ્યાણપુર તાલુકામાં રહેતા અને ખેત મજૂરી કરતા દિનેશભાઈ સુકાભાઈ રાઠોડ (ઉ.વ. 47) અને તેમના ધર્મપત્ની ઉષાબેન રાઠોડ (ઉ.વ. 45) નામના આદિવાસી દંપતીએ ગત તારીખ 30 માર્ચના રોજ કલ્યાણપુર તાલુકાના સતાપર ગામે એક આસામીને વાડીમાં ઝેરી દવા પીને આપઘાત કરી લીધો હતો. આ સમગ્ર પ્રકરણ સંદર્ભે કલ્યાણપુર તાલુકાના દેવળીયા ગામે રહેતા સુકાભાઈ રણછોડભાઈ રાઠોડ નામના 60 વર્ષના વૃદ્ધ દ્વારા કલ્યાણપુર પોલીસ મથકમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ ઉપરોક્ત પતિ-પત્ની વચ્ચે દારૂ પીને અવારનવાર ઝઘડો થતો હતો. જે સંદર્ભે વધુ એક વખત ઝઘડો થતા બંનેએ પોતાની જાતે ઝેરી દવા પીને જિંદગી ટુંકાવી હતી. આ અંગે કલ્યાણપુર પોલીસે જરૂરી નોંધ કરી, આગળની કાર્યવાહી કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application
Recent News