પોરબંદરમાં જૂના ભાડુઆતને ધમકી આપી કારમાં અપહરણ કરી, ગોંધી રાખી ભાડા કરાર અને સમાધાન કરારમાં છ મહિના પહેલા બળજબરીથી સહી કરાવનાર ઇસમ અને તેના બે સાગરીતો સામે યુવાને પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીને પકડીને રી-ક્ધસ્ટ્રકશન કરાવ્યુ હતુ.
પોરબંદરના જ્યુબેલી વિસ્તારમાં પાણીના ટાંકા પાસે રહેતા અને મુંબઇ ખાતે કુરિયરના વ્યવસાય સાથે જોડાયેલા ભાવિક રમણીક પરમાર નામના ૩૭ વર્ષના યુવાને કીર્તિમંદિર પોલીસમથકમાં એવી ફરિયાદ નોંધાવી છે કે તેમની માતા રંજનબેને જેઠા ભાયા ઓડેદરા નામના જ્યુબેલી વિસ્તારમાં રહેતા ઇસમ વિધ્ધ અરજી કરી હતી જેમાં જણાવ્યુ હતુ કે હાલમાં ભાવિકભાઇ પરમારનો પરિવાર જે મકાનમાં રહે છે તે ઇ.સ. ૧૯૯૧માં લંડન રહેતા સામજી રામજી જોષી પાસેથી ૩૦૦ ા.ના માસિક ભાડે રાખેલ હતુ અને ત્યારથી ભાવિકભાઇનો પરિવાર તે મકાનમાં જ રહે છે.
વર્ષ ૨૦૧૮માં જ્યુબેલીમાં રહેતા જેઠા ભાયા ઓડેદરા ભાવિકના ઘરે આવ્યો હતો અને એવું જણાવ્યુ હતુ કે ‘આ મકાન મેં લીધુ છે અને હવેથી ૧૫૦૦ ા. ભાડુ આપવાનું રહેશે’ જેથી ફરિયાદી દર મહિને ૧૫૦૦ ા. ભાડુ આપતા હતા.
વર્ષ ૨૦૨૩માં જેઠાભાઇની માતા ભીનીબેન તેમના ઘરે આવ્યા હતા અને મકાન ખાલી કરાવવા બાબતે ઝઘડો થયો હતો. આ બાબતે ફરિયાદીએ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. જેનો કેસ હજી કોર્ટમાં ચાલુ છે. એ દરમ્યાન જ તા. ૪-૧૨-૨૦૨૪ના જેઠા ભાયાનો ફોન આવ્યો હતો કે ‘તમે કરેલ ફરિયાદની કોર્ટમાં તા. ૫-૧૨-૨૪ની તારીખ છે. તેથી તારે કાલે કોર્ટમાં આવવુ પડશે અને સમાધાન કરવુ પડશે.’ તેમ વાત કરી હતી. આથી ફરિયાદી ભાવિક તથા તેની માતા રંજનબેન તા. ૫-૧૨ના સ્કૂટરમાં જુની કોર્ટમાં ગયા હતા અને ત્યાં સ્ટેમ્પ વેન્ડર અને બોન્ડ રાઇટર પાસે સમાધાનનો કરાર લખાવ્યો હતો અને તેનો ફોટો જેઠા ભાયાને વોટસએપ મારફતે મોકલ્યા હતા.
થોડી વાર પછી જેઠો જૂની કોર્ટમાં આવ્યો હતો અને ભાવિક પરમારને ગાડીમાં બેસાડી દીધો હતો અને મોબાઇલ ફોન આંચકી લીધો હતો તથા‘તે કરેલુ લખાણ નહીં ચાલે, હું કહુ તેમ લખાણ કરી આપ. નહીં કરી આપ તો તારા હાથપગ ભાંગી નાખીશ અને તારી માતાનું એકસીડન્ટ કરાવી મરાવી નાખીશ’ તેમ કહી તેની કારમાં હનુમાનગુફા પોલીસચોકી નજીકથી જ્યુબેલી ચાર રસ્તા ઉપર લઇ ગયો હતો અને ત્યાંથી ઇન્દ્રપ્રસ્થ હોટલ પાસે લઇ ગયો હતો અને સાઇડમાં ગાડી ઉભી રાખીને ‘હું કહું તેમ લખાણ કરી આપ નહીં તો તારા હાથ-પગ ભાંગવા પડશે’ તેવી ધમકી આપતા ડરના કારણે ફરિયાદીએ લખાણ કરવાની હા પાડી હતી અને ફરીથી કોર્ટમાં લાવવામાં આવ્યો હતો અને મોબાઇલ ફોન પાછો આપી દીધો હતો. ત્યારબાદ જેઠાએ ફરિયાદીએ કરાવેલ લખાણમાં સ્ટેમ્પ વેન્ડર પાસે સુધારો કરાવ્યો હતો અને બીજુ ૧૧ મહિનાનું એગ્રીમેન્ટ ભાડા કરાર લખાવ્યુ હતુ જેમાં સમાધાન કરારમાં ફરીયાદી અને ભાડાકરાર એગ્રીમેન્ટમાં તેની માતા રંજનબહેને સહી કરી હતી અને ત્યાર પછી જેઠાએ તેમના માતા ભીનીબેનને ફોન કરીને બોલાવ્યા હતા આથી તેની માતા ભીનીબેન અને જેઠાનો ભાઇ વજસી અને બીજા બે અજાણ્યા માણસો ત્યાં આવ્યા હતા અને બંને અજાણ્યા માણસો જેઠાભાઇના કહેવા મુજબ ફરિયાદી ભાવિકની પાછળ પાછળ ફરતા હતા અને ‘આ અગિયાર મહિનાનો એગ્રીમેન્ટ ન થાય ત્યાં સુધી કયાંય જવાનું નથી’ તેમ કહેતા હતા.
ત્યારબાદ ફરિયાદીએ તેના મામાના દીકરા આશિષને ફોન કરીને જૂની કોર્ટમાં બોલાવ્યો હતો અને તે જૂની કોર્ટમાં આવતા બધી જ વાત કરી હતી. અને જેઠાએ સમાધાન કરારમાં સહી લીધા પછી કોર્ટમાં ગયા હતા અને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરેલ જેનું સમાધાન જેઠાના ડરના કારણે કર્યુ હતુ. ચારેક દિવસ પહેલા જેઠા ભાયા ઓડેદરા ભાવિક રમણીક પરમારને ત્યાં આવ્યો હતો અને ‘તમે હવે અમારુ મકાન ખાલી કરી દેજો’ આથી ફરિયાદીએ તેને કહ્યુ હતુ કે, ‘અમે જુના ભાડુઆત છીએ અમારી પાસે જુની ભાડાચીઠ્ઠી છે અને મકાનમાં અમારો હકક થાય છે.’ તેમ કહેતા જેઠાએ ભાવિકને ઝાપટ મારીને ‘તમારી ભાડાચીઠ્ઠીનું કાંઇ નહી આવે’ તેમ કહ્યુ હતુ. આ બનાવ અંગે ભાવિકે તેની માતા રંજનબેનને વાત કરી હતી આથી રંજનબેને ‘ભલે આપણે મારી નાખે પણ હવે ફરિયાદ તો કરવી જ છે’ તેમ કહેતા અંતે ભાવિક પરમાર અને રંજનબેન કીર્તિમંદિર પોલીસ સ્ટેશન ખાતે બ આવ્યા હતા અને પોલીસ ફરિયાદ નોંધાવી હતી જેમાં એવુ જણાવ્યુ હતુ કે જેઠા ભાયા અને તેની સાથેના બે બીજા અજાણ્યા માણસો મકાન ખાલી કરાવવાના આશયથી જુની કોર્ટમાંથી ભાવિકનું અપહરણ કરી ગાડીમાં દોઢથી બે કલાક ગોંધી રાખી,ધમકી આપી અગિયાર માસના ભાડાકરાર અને સમાધાન કરાર બળજબરીથી કરાવ્યા હોવાનું જણાવી ગુન્હો નોંધાવ્યો હતો.
કીર્તિમંદિર પોલીસ દ્વારા આ બનાવમાં તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી અને જેઠા ભાયા નામના આ ઇસમની ધરપકડ કરીને ઘટનાસ્થળે લઇ જઇને રી-ક્ધસ્ટ્રકશન કરાવ્યુ હતુ.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં જુના રેલ્વે સ્ટેશન પાસે પુનઃ ખડકી દેવાયેલી ઝુપડપટ્ટી હટાવવા આરપીએફની કાર્યવાહી
June 03, 2025 11:46 AMઆરબ જમાતખાના વિસ્તારમાં પાણીનો ટાંકો છલકાવાના પ્રશ્ને પાડોશીઓ વચ્ચે તકરાર
June 03, 2025 11:41 AMજામનગરમાં શ્રમીક યુવાનને દારુનો કેસ કરવાની દાંટી મારીને ૨૦ હજારનો તોડ
June 03, 2025 11:38 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech