જગત ગુરુ સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે સંભલમાં ખોદકામ દરમિયાન વાવ તેમજ મંદિરના અસ્તિત્વના પુરાવા મળતા જાહેરાત કરી હતી કે હવે એ જગ્યા લઈને જ રહીશું. તેમણે ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ચાલી રહેલા વિવાદ, બાંગ્લાદેશમાં હિંદુઓ પર અત્યાચાર અને મોહન ભાગવતના તાજેતરના નિવેદન પર પ્રતિક્રિયા આપી હતી. સંભલ વિવાદ પર તેમણે કહ્યું કે મંદિર મુદ્દે તેમનો સંઘર્ષ ચાલુ રહેશે.
સંભલ વિવાદ પર ચિંતા વ્યકત કરતા સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે કહ્યું કે સંભલમાં જે પણ થઈ રહ્યું છે તે ખરાબ છે. જો કે, તેમણે એમ પણ કહ્યું કે આ મામલે એક સકારાત્મક પાસું એ છે કે ત્યાં મંદિર હોવાના પુરાવા મળ્યા છે. તેમણે વધુમાં કહ્યું કે અમે તેને આગળ લઈ જઈશું, પછી તે વોટ દ્રારા હોય, કોર્ટ દ્રારા હોય કે પછી જનતાની મદદથી હોય. મંદિર મુદ્દે તેમનો સંઘર્ષ ચાલુ રહેશે અને તે આ માટે શકય તમામ માધ્યમોનો ઉપયોગ કરશે.
બાંગ્લાદેશમાં હિંદુઓ પર થઈ રહેલા અત્યાચાર અંગે પૂછવામાં આવતા તેમણે કહ્યું કે બાંગ્લાદેશની વચગાળાની સરકાર હિંદુઓ પર અત્યાચાર કરી રહી છે. બાંગ્લાદેશના વચગાળાના વડાપ્રધાનને 'દુષ્ટ્ર' ગણાવતા તેમણે કહ્યું કે રાહ જુઓ, દરેકનો નાશ થશે. ચિંતા કરશો નહીં. બાંગ્લાદેશમાં હિંદુઓ પર થતા અત્યાચારો અંગે આંતરરાષ્ટ્ર્રીય સમુદાયે ગંભીર પગલાં લેવાની જર છે. અમે સરકારને ઘણું કહ્યું છે, પરંતુ આ સમસ્યા માત્ર ભારત સરકાર માટે જ નહીં પરંતુ સમગ્ર વિશ્વ માટે ચિંતાનો વિષય છે.
'મોહન ભાગવતના નિવેદન સાથે અસહમત
સ્વામી રામભદ્રાચાર્ય મહારાજે રાષ્ટ્ર્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતના તાજેતરના નિવેદન સાથે અસહમતિ વ્યકત કરી હતી. મોહન ભાગવતે કહ્યું હતું કે કેટલાક લોકો હિન્દુઓના નેતા બનવાની કોશિશ કરી રહ્યા છે, તેના પર સ્વામી રામભદ્રાચાર્યએ કહ્યું કે હત્પં મોહન ભાગવત જીના નિવેદન સાથે બિલકુલ સહમત નથી. મોહન ભાગવત અનુશાસનવાદી રહ્યા છે, પરંતુ તેમના વિચારો આ મામલે તેમની સાથે સહમત નથી. સ્વામી રામભદ્રાચાર્યએ આગામી મહાકુંભ મેળા વિશે કહ્યું કે મહાકુંભ એક અત્પત કાર્યક્રમ છે, જેમાં લાખો લોકો ભાગ લેશે. દરેક વ્યકિતએ આ મેળામાં આવવું જોઈએ અને ધર્મ પ્રત્યે તેમની આસ્થા અને સમર્પણ વ્યકત કરવું જોઈએ.
હત્પં ભગવાનને પ્રાર્થના કરીશ કે ભારતની અખંડિતતા અકબધં રહે અને દરેક વ્યકિત શાંતિ, સૌહાર્દ અને ભાઈચારા સાથે આ કાર્યક્રમમાં
ભાગ લે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech