ભાવનગર શહેરમાં મહાપાલિકા તંત્ર દ્વારા અગાઉ શરૂ કરવામાં આવેલ દબાણ હટાવ અભિયાન છેલ્લા કેટલાક સમયથી સ્થગિત થયું હોય શહેરના મોટાભાગના વિસ્તારોમાં ફરીથી અસ્થાયી સહિત અનેક દબાણો થવા લાગ્યા હતા. ખાસ કરીને શહેરી વિસ્તાર જેમાં રૂપમ, હેવમોરચોક, શાકમાર્કેટ, આંબાચોક, મુખ્ય બજાર તેમજ વોરાબજાર અને પીરછલ્લા, ગંગા જળીયા તળાવ તેમજ શેલારશા, સ્ટેશન રોડ સહિતના વિસ્તારો પુન: દબાણગ્રસ્ત થઈ બની રહ્યા છે. દરમ્યાન શહેરના વડવાનેરા વિસ્તાર, રામાપીર મંદિર વાળા ખાંચામાં તેમજ તેની આજુબાજુના વિસ્તારમાં દબાણો થયા હોય મહાપાલિકાના એસ્ટેટ વિભાગ સમક્ષ સ્થાનિક વિસ્તારમાંથી આવેલી અરજી ના પગલે આજે મંગળવારે એસ્ટેટ વિભાગ લાંબા સમય બાદ સક્રિય બન્યું હતું. જેમાં એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની તોમે સ્થળ પર દોડી જઈ જાહેર રોડ સહિતમાં થયેલા નાના-મોટા અસ્થાયી દબાણ હટાવવાની કામગીરી હાથ ધરતા અચાનક જ ત્રાટકેલા એસ્ટેટ વિભાગના ઓગલે દબાણકારોમાં દોડધામ મચી હતી. દરમ્યાન એસ્ટેટ વિભાગ અને દબાણ હટાવ સેલની ટીમ દ્વારા વડવાનેરા અને તેની આજુબાજુના વિસ્તારમાંથી અડચણરૂપ નાના-મોટા તમામ દબાણો દૂર કરી એક ગાડી ભરી માલ-સામાન જપ્ત કર્યો હતો. મહાપાલિકા તંત્રના એસ્ટેટ વિભાગ દ્વારા અરજીના આધારે દબાણો સામે હાથ ધરેલી કાર્યવાહીથી સ્થાનિક લોકોમાં રાહતની લાગણી ફેલાઈ હયી. સાથે મહાપાલિકા તંત્ર દ્વારા સપ્તાહમાં એક વખત ડ્રાઈવ કરવામાં આવે તેવી માંગણી કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકેનેડાના નવા કાયદાથી ભારતીય વિદ્યાર્થીઓ માટે મુશ્કેલીઓ વધશે
June 05, 2025 10:12 AMરશિયા યુકેનને ડ્રોન હુમલાનો પૂરી તાકાતથી જવાબ આપશે
June 05, 2025 10:11 AMટ્રમ્પના ટેક્સ બિલ સામે મસ્કે ફરી બાંયો ચડાવી, સાંસદોને પણ વિરોધ કરવા અપીલ કરી
June 05, 2025 10:10 AM₹1 નો સિક્કો બનાવવામાં કેટલો ખર્ચ થાય છે? RBI એ આપ્યો પાઈ-પાઈનો હિસાબ
June 04, 2025 09:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech