હાલમાં એર ઈન્ડિયા એકસપ્રેસે તેના અનેક કર્મચારીઓને માંદગીની રજા લેવા બદલ નોકરીમાંથી કાઢી મૂકયા અને પછી સમાધાન થતા તેમણે પરત નોકરી પર લઇ લીધા હતા. પ્રશ્ન એ છે કે કંપનીઓ આ રીતે કર્મચારીઓને કાઢી મૂકી શકે ખરી?સામાન્ય રીતે કર્મચારીઓને તેમની માંદગી દરમિયાન કેટલીક વિશેષ રજા આપવામાં આવે છે. જેને મેડિકલ લીવ અથવા સિક લીવ કહેવામાં આવે છે. આ રજાઓ મેળવવા માટે, કર્મચારીઓને ઘણીવાર ડોકટરનું પ્રમાણપત્ર સબમિટ કરવું પડે છે. પરંતુ જો એક કંપનીમાં ઘણા લોકો એક જ સમયે માંદગીની રજા લે તો તે આયોજનપૂર્વક લીધેલી રજાઓ હોય છે, જે યુનિયનો દ્રારા પ્રાયોજિત હોય છે.
ભારતમાં કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવા માટે કોઈ ધોરણો નક્કી કરવામાં આવ્યા નથી. યારે કંપની કોઈની નિમણૂક કરે છે, ત્યારે તે તેની સાથે કરાર કરે છે. કંપનીએ તેમાં પોતાની કેટલીક શરતો પણ સામેલ કરી છે. જેમાં કામકાજને લગતા કેટલાક બંધન છે અને રજા ઓને લગતા કેટલાક બંધન પણ છે. કંપનીમાં ઘણા કર્મચારીઓ એકસાથે માંદગીની રજા લે તો તેને મેનેજમેન્ટ સામેનું કૃત્ય ગણવામાં આવે છે.
માની લેવામાં આવે છે કે આવી સામુહિક સીક લીવ લેવા પાછળનો તેમનો હેતુ કામ કરવાનો નથી. જેથી કંપનીને નુકસાન થાય છે. અને આવી સ્થિતિમાં, જો કંપની ઇચ્છે, તો તે નૈતિક આચાર સંહિતાનું ઉલ્લંઘન કર્યા વિના તે કર્મચારીઓને નોકરીમાંથી બરતરફ કરી શકે છે. જો કે, જો કર્મચારીને લાગે છે કે તેને ખોટી રીતે નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો છે, તો તે કંપની વિદ્ધ કેસ દાખલ કરી શકે છે.
માંદગીની રજા અંગે બરતરફીનો તાજેતરનો કેસ એર ઈન્ડિયાની પેટાકંપની એર ઈન્ડિયા એકસપ્રેસનો છે. એર ઈન્ડિયા એકસપ્રેસના ૨૫ ક્રૂ મેમ્બરોએ એકસાથે માંદગીની રજા લીધી હતી અને લાઈટના થોડા સમય પહેલા જ રજા પર ઉતરી ગયા હતા. અને આ પછી તેણે પોતાનો ફોન પણ સ્વીચ ઓફ કરી દીધા હતા . એર ઈન્ડિયા એકસપ્રેસે બીજા જ દિવસે આ તમામ કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરવાની સૂચના આપી હતી.
કંપનીએ ટાંકયું હતું કે તમામ કર્મચારીઓ એકસાથે માંદગીની રજા ) લે છે તે દર્શાવે છે કે તે પહેલાથી જ નક્કી કરવામાં આવ્યું હતું કે દરેક એક સાથે રજા લેશે. યારે દરેક વ્યકિત એક જ સમયે બીમાર નથી પડી શકતી. કર્મચારીઓને એકસાથે રજા લેવી એ કંપનીની નીતિનું ઉલ્લંઘન છે. આથી કંપનીએ ઈમેલ દ્રારા તમામ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકયા છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationયુક્રેન શાંતિ સમજૂતીમાંથી ખસી શકે છે અમેરિકા, રશિયા-યુક્રેન વચ્ચે સહમતિ ન થતા નારાજ
April 18, 2025 07:30 PMભારતની બાંગ્લાદેશને ચેતવણી, ભારતના આંતરિક મામલામાં દખલ નહીં!, લઘુમતીઓની સુરક્ષા પર આપો ધ્યાન
April 18, 2025 07:29 PMફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech