પોરબંદર શહેરના જુદા જુદા વિસ્તારમાં મહાનગરપાલિકા દ્વારા લોકોની સુખાકારી માટેના પ્રયત્નો આગળ વધારવામાં આવ્યા છે.
સ્ટ્રીટલાઇટ સમારકામ
ઇલેકટ્રીક વિભાગ દ્વારા છાયા તથા નરસંગ ટેકરી, સાન્દીપનિ, કડીયાપ્લોટ, મીલપરા,ઝુરીબાગ લાલ પેલેસ, વાઘેશ્ર્વરીપ્લોટ, ભોજેશ્ર્વર પ્લોટ, કમલાબાગ, ખારવાવાડ અને ખાપટ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૬૫ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે.ઇલેકટ્રીક વિભાગ દ્વારા જાવર તથા ખાપટ, ખત્રીવાડ, તકીયા મેમણવાડ,જ્યુબેલી, બોખીરા, કોળીવાડ, ઝુંડાળા, છાયા અને દરિયારોડ જેવા અનેક વિસ્તારોમાં કુલ ૫૧ સ્ટ્રીટલાઇટોનું રીપેરીંગ કરવામાં આવેલ છે. ઇલેકટ્રીક વિભાગ દ્વારા છાયા તથા રાવલીયાપ્લોટ, ખારવાવાડ, ઇન્દીરાનગર જેવા અનેક વિસ્તારોમાં કુલ ૬૨ સ્ટ્રીટલાઇટોનું સમારકામ કરવામાં આવેલ છે.
પાણીની પાઇપલાઇનનું સમારકામ
વોટોર વર્કસ વિભાગ દ્વારા ધરમપુર વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગ તથા લીમડાચોક વિસ્તારમાં વાલ્વ રીપેરીંગ અને બાપા સીતારામ પાસે તેમજ પ્રાથમિક શાળા (નેહડા) નજીક એરવાલ્વ રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ તેમજ ગાયત્રી સોસાયટી, કડીયાપ્લોટ, માર્કેટયાર્ડ નજીક કનેકશન બંધ કરેલ છે. વોટરવર્કસ વિભાગ દ્વારા જાવર તથા ગાયત્રીનગર, ગીતાનગર, યુગ બજાજ શોમ અને જ્યુબેલી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગ તથા કડીયાપ્લોટ માર્કેટ યાર્ડ પાસે તથા ખાપટ કર્મચારી સોસાયટી વિસ્તારમાં વાલ્વ રીપેરીંગની કામગીરી કરવામાં આવેલ છે.વોટર વર્કસ વિભાગ દ્વારા ખાપટ, રમણપાર્ક, ગીતાનગર, માધવપાર્ક, ગાંધીપાર્ક, શ્યામપાર્ક તેમજ શ્રીજી સોસાયટી વિસ્તારમાં પાણીની પાઇપલાઇન રીપેરીંગની કામગીરી કરાવવામાં આવેલ છે.
નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ
ગાર્ડન વિભાગ દ્વારા ડો. બાબાસાહેબ આંબેડકર ગાર્ડનના વૃક્ષની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ તથા રાણીબાગ, ડો. બાબાસાહેબ આંબેડકર ગાર્ડન, કમલાબાગ જેવા અનેક ગાર્ડનની સફાઇ કરવામાં આવેલ છે.
સાફસફાઇની કામગીરી
ગાર્ડન વિભાગ દ્વારા હોસ્પિટલ રોડ પર ડો. ગાંધીના દવાખાના સામે વૃક્ષની નડતરપ ડાળીઓનું ટ્રીમીંગ તથા મહારાણા નટવરસિંહજી બાગ ખીજડીપ્લોટ ફુવારાની સફાઇ અને રાણીબાાગ, પાળીબાગ, ચોપાટી વિલા ગાર્ડન જેવા અનેક ગાર્ડનની સફાઇ કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMકલેકટર કેતન ઠક્કરના અધ્યક્ષ સ્થાને જામનગર જીલ્લા માર્ગ સલામતી સમિતિની બેઠક યોજાઈ
May 19, 2025 05:42 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech