પાણીજન્ય રોગ અટકાવવા તંત્ર દ્વારા ફિલ્ટરેશન પ્લાન્ટ કાર્યરત
ખંભાળિયા શહેરને પાણી પૂરું પાડતો ઘી ડેમ હાલ ઓવરફ્લો થઈ ગયો છે અને પીવાના પાણીનો પ્રશ્ન સંપૂર્ણપણે હલ થઈ ચૂક્યો છે. ત્યારે આગામી દિવસોમાં આ નવા પાણીના કારણે રોગચાળો ન ફેલાય તે હેતુથી નગરપાલિકાના વોટર વર્ક્સ વિભાગ દ્વારા પાણીને ફિલ્ટર કરી અને ક્લોરીનેશનની સધન કામગીરી કરવામાં આવી રહી છે.
આ અંગે નગરપાલિકા વોટર વકર્સ વિભાગના વડા એન.આર. નંદાણીયાએ જણાવ્યું હતું કે છેલ્લા દિવસોમાં ઘી ડેમમાં નવા પાણીની થયેલી વિપુલ આવકના પગલે ઘી ડેમ ઓવરફ્લો થઈ રહ્યો છે. ત્યારે શહેરમાં વિતરણ કરાતા પાણીમાં ડહોળાસ ઓછી કરવા તેમજ સૂક્ષ્મજીવ જંતુઓનો નાશ થાય તે હેતુથી કાર્યરત ફિલ્ટરેશન પ્લાન્ટ મારફતે પાણી ફિલ્ટર કરવાની સાથે ક્લોરીનેશન કરવાની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે.
છેલ્લા કેટલાક દિવસો થયા શહેરમાં વર્તમાન માહોલના લીધે વાયરલ રોગચાળાનું પ્રમાણ વધ્યું છે. ત્યારે પાણી દ્વારા રોગચાળો ન વકરે તે હેતુથી નગરપાલિકા તંત્ર દ્વારા ચીફ ઓફિસર ભરતકુમાર વ્યાસના માર્ગદર્શન હેઠળ ક્લોરિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર પાસે પ્રેમિકાના પતિની જીપ ચડાવીને કરપીણ હત્યા
April 07, 2025 01:22 PMજામનગરમાં આકરો તાપ: ૩૯ ડીગ્રી તાપમાન
April 07, 2025 01:19 PMજામનગર પંથકમાં માતા-પુત્ર સહિત ચાર વ્યક્તિઓ ગુમ
April 07, 2025 01:05 PMદ્વારકામાં ભગવાન શ્રી દ્વારકાધીશને રામ-લલ્લાના શણગાર કરાયા
April 07, 2025 01:03 PMજાણો નિષ્ણાતો કઈ કઈ વસ્તુઓમાં મીઠું નાખીને ખાવાની ના પાડે છે
April 07, 2025 12:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech