ખાદ્ય તેલની આયાતમાં ઘટાડો કરવો જોઈએ અને ઈમ્પોર્ટ ડ્યુટીમાં વધારો કરવો જોઈએ. જો તેમ કરીશું તો જ સનિક કક્ષાએ ખેડૂતોને મગફળી સહિતના તેલીબિયાના ભાવ મળી રહેશે તેવી કેન્દ્ર સરકાર સમક્ષની સતત રજૂઆત છતા સરકાર ખાદ્ય તેલની આયાત સતત વધારી રહી છે. સરકારે ૧૮.૪૭ લાખ મેટ્રિક ટન ખાદ્યતેલ ની આયાત કરી છે. જે અત્યાર સુધીની ઓલ ટાઈમ હાઈ છે.
આયાતમાં વધારા અને મંદીના માહોલને કારણે સિંગતેલ પામોલીન તેલ સહિતના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. સૌરાષ્ટ્રના પગલે પગલે મુંબઈના બજારમાં પણ સિગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે.
હજુ તો ગઈકાલે ગુજરાત રાજ્ય તેલ તેલીબિયા સંગઠને કેન્દ્રીય કૃષિ મંત્રી શિવરાજસિંહ ચૌહાણને આ સંદર્ભે પત્ર પાઠવીને તેલની આયાત ઘટાડવા અને ડ્યુટી વધારવા સહિતની માગણીમાં કરી જણાવ્યું હતું કે દેશની કુલ જરૂરીયાત ના ૬૫% ખાદ્યતેલ આયાત કરવું પડે છે. જુલાઇ માસમાં જે રીતે સૌી વધુ આયાત કરવામાં આવી છે તે ચાલુ રહેશે તો આપણે પ્રતિવર્ષ ૨૦૦ લાખ મેટ્રિક ત્રણ જેટલું ખાદ્યતેલ આયાત કરતા હઈશુ.
સંગઠનના પ્રમુખ સમીરભાઈ શાહે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રીને પાઠવેલા આવેદનપત્રમાં જણાવ્યું છે કે આ મોસમમાં મગફળી અને સોયાબીન જેવા તેલીબિયાનુ વાવેતર વધારે યું છે. આ ઉપરાંત મસ્ટર્ડ એટલે કે રાયડો, સોયાબીન સીડનો મોટો જથ્ો સરપ્લસ છે. તેવા સંજોગોમાં સનિક કક્ષાએ વધુ ભાવ મળે તે માટે આયાતમાં કાપ મૂકી શકાય છે.
સરકારે જુદા જુદા તેલીબિયાના પાકોના ટેકાના ભાવમાં સારો એવો વધારો કર્યો છે. પરંતુ ખરીદી મર્યાદિત કરાતી હોવાી મોટાભાગનો માલ ખુલ્લા બજારમાં ચાલ્યો જાય છે અને ત્યાં ખેડૂતોને ઓછા ભાવ મળે છે. આ પરિસ્િિત દૂર કરવા માટે સરકારે ભાવાંતર યોજના સમગ્ર દેશમાં લાગુ કરવા માટે પણ માગણી ઉઠી છે. ટેકાના ભાવે સરકાર ખરીદી કરે પછી જ્યારે તે માલ બજારમાં મૂકે ત્યારે પણ ભાવ નીચા જતા હોય છે. તેના બદલે જો ભાંવાતરની યોજના અમલમાં આવે તો ખેડૂતોને ટેકાના ભાવમાં ઘણો ફાયદો ાય તેમ છે.
સંગઠનોની આવી રજૂઆત પછી પણ સરકારે આયાત વધારી છે અને વૈશ્વિક મંદીના માહોલોનો લાભ લઈને આયાત વધારતા સનિક કક્ષાએ સિંગતેલ પામોલીન તેલ સહિતના ખાદ્યતલોના ભાવમાં ઘટાડો યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆજનું રાશિફળ : આ રાશિના લોકોને દરેક જગ્યાએ સફળતાના મળશે, મળી શકે છે સારા સમાચાર
May 18, 2025 08:59 AMઇઝરાયલનું ગાઝા પર મોટું આક્રમણઃ ત્રણ દિવસમાં મોતનો આંકડો 250ને પાર
May 17, 2025 08:03 PMબેંગલુરુમાં વરસાદનું વિઘ્ન! RCB vs KKR મેચના ટૉસમાં વિલંબ, પણ ચાહકોનો ઉત્સાહ અકબંધ
May 17, 2025 07:34 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech