રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડમાં મહાનગરપાલિકાના પૂર્વ ટાઉન પ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે ભ્રષ્ટાચારની તપાસમાં તેમની પાસે આવક કરતા 60 ગણી વધુ અપ્રમાણસર મિલકત મળી આવી હતી અને તેમાં 28 કરોડની જંગમ મિલકતો મળતા તે જપ્ત કરવા માટે સ્પેશિયલ કોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જો કે, હવે સાગઠિયાના કેસમાં ઇડીએ ઝંપલાવ્યું છે. સાગઠિયાની આવક કરતા 60 ગણી બેનામી સંપત્તિની ઇડી તપાસ કરશે.
પહેલા પણ રાજકોટ એસીબી આ કેસની તપાસ કરી રહી હતી અને હજી પણ તપાસ ચાલે છે,EDએ તપાસ સંદર્ભે કોર્ટમાં અરજી કરી હતી અને તે અરજીના આધારે કોર્ટે મંજૂરી આપતા હવે ઈડીએ પણ જંપલાવ્યું છે અને તપાસનો ધમધમાટ થશે.
અગાઉ પણ મિલકતો ટાંચમાં લીધી
રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની ઘટના બાદ રાજકોટ મહાનગરપાલિકાના પૂર્વ ટાઉનપ્લાનિંગ ઓફિસર મનસુખ સાગઠિયા સામે કાર્યવાહી કરવામાં આવી હતી. મનસુખ સાગઠિયા વિરુદ્ધ આવક કરતા વધુ સંપત્તિ સહિત અન્ય કેસો પર કાર્યવાહી ચાલી રહી છે અને તે હાલ જેલમાં છે. ગુજરાત સરકારના ગૃહ વિભાગે ACBને મનસુખ સાગઠિયા અને પરિવારજનોની 23.15 કરોડની મિલકતો ટાંચમાં લેવાની મંજૂરી આપી દીધી છે.
સાગઠિયાએ ગેમઝોન સંચાલકો પાસેથી લાંચ લીધી હોવાનું કબૂલ્યું
રાજકોટમાં TRP ગેમઝોન અગ્નિકાંડ મામલે સૌથી મોટો ઘટસ્ફોટ સાગઠિયાએ એસીબીની તપાસ દરમિયાન કર્યો હતો, તેણે કબૂલ્યું કે જે અગ્નિકાંડ બન્યો તેની પહેલા ગેમઝોન સંચાલકો પાસેથી તેણે લાંચ લીધી હતી. એસીબીની તપાસ દરમિયાન સાગઠીયાએ અનેક પ્લાન ભષ્ટ્રાચાર કરી પાસ કર્યાનું કબુલ્યું હતું.
આ સાથે જ ગુજરાત સરકારે આ જમીન સરકાર ખાલસા કરવા માટે ખાસ અદાલત સમક્ષ અરજી કરી હતી. આ ઉપરાંત તેઓ પોતાની અને પરિવારની સ્થાપન મિલકત અન્ય કોઈને તબદીલ ન કરી શકે તે માટે આ અરજીની નોટિસ રાજકોટના સબ રજીસ્ટ્રાર તથા આર.ટી.ઓ.ને પણ કરવામાં આવે જેથી સ્થાવર મિલકતની જપ્તીની કાર્યવાહી દરમિયાન જો સાગઠિયા આ મિલકત તબદીલ કરવાનો કોઈપણ પ્રકારનો દસ્તાવેજ રજૂ કરે તો આવા દસ્તાવેજો રજૂ થયાની જાણ આ અધિકારીઓ અદાલતને તાત્કાલિક કરી શકે.
જંગમ મિલકતો સાથે કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી
મનસુખ સાગઠિયાની સામે થયેલા ભ્રષ્ટાચારના કેસોની તપાસ દરમિયાન 28 કરોડની મિલકત તપાસનીશ અમલદાર એમ.એ. લાલીવાલે જપ્ત કરી જંગમ મિલકતો સાથે કોર્ટ સમક્ષ ચાર્જશીટ રજૂ કરી હતી. આ તપાસ સમયે તેઓ પાસે તેમના કુટુંબીજનોના નામથી અનેક મિલકતો મળી આવી હતી. આ મિલકતો સબંધે તેઓ કોઈ ચોખવટ કરી શકી ન હોવાથી અને આ મિલકતો તેમની આવક કરતા 60 ગણી અપ્રમાણસર હોવાનું સામે આવ્યું હતું.
આ સબંધે તપાસનીશ અમલદારે સરકારને દરખાસ્ત કરી હતી. જે અનુસંધાને ગુજરાત સરકારે આ મિલકતો સબંધે મનાઈ હુકમ માંગી મિલકતો જપ્ત કરી સરકાર ખાલસા કરવા રાજકોટની ખાસ અદાલત સમક્ષ આજે અરજી રજૂ કરવામાં આવી હતી.
આવક કરતા 60 ગણી અપ્રમાણસર મિલકત મળી
આ અરજી સબંધે સ્પે. પી.પી. મારફત દરખાસ્ત કરવામાં આવેલા છે કે જે સ્થાવર મિલકતોને જપ્ત કરી શકાઇ નથી તે મિલકતો આરોપી સાગઠિયા કોઈપણ પ્રકારે તબદીલ કરી નાખે તો કોઈ અજાણ્યા કે નિર્દોષ માણસને વીના કારણે મુશ્કેલી થાય અને અલગ અલગ પ્રકારની અરજીઓના નિકાલ કરવાની પરિસ્થિતિ ઉત્પન્ન થાય.
આ સંજોગોમાં પી.પી.એ અરજી કરેલી કે, હાલની આ અરજીની નોટિસ રાજકોટના સબ રજિસ્ટ્રાર તથા આરટીઓને પણ કરવામાં આવે જેથી સ્થાવર મિલકતની જપ્તીની કાર્યવાહી દરમિયાન જો આરોપી મનસુખ સાગઠીયા આ મિલકત તબદીલ કરવાનો કોઈપણ પ્રકારનો દસ્તાવેજ રજૂ કરે તો આવા દસ્તાવેજો રજૂ થયાની જાણ આ અધિકારીઓ અદાલતને તાત્કાલિક કરી શકે. આરોપી સાગઠિયા સામેની આ અરજીમાં સ્પે.પી.પી. તરીકે જિલ્લા સરકારી વકીલ સંજયભાઈ વોરા રોકાયેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપરોઢીયે ઝાકળ વચ્ચે જામનગરમાં તાપમાન ૩૩.૫
February 24, 2025 05:41 PMજામનગર ડિસ્ટ્રિક્ટ બેંક ડિરેક્ટર દ્વારા અકસ્માતે મૃત્યુ પામેલા સભાસદના પરિવારને રૂ. ૫ લાખનો ચેક
February 24, 2025 05:28 PMજામનગરમાં આર.આર.આર સેન્ટરમાં અત્યાર સુધીમાં ૪૧૬ નાગરિકો અલગ અલગ ચીજવસ્તુઓ મૂકી ગયા
February 24, 2025 05:16 PMઆવા અનોખા લગ્ન વિશે ક્યારેય ન તો ક્યાંય સાંભળ્યું હશે કે ન તો જોયું હશે!
February 24, 2025 05:00 PMસિનેમા હોલમાં અનલિમિટેડ પોપકોર્નની ઓફર, લોકોએ ડ્રમ અને તપેલા લઈ લગાવી લાંબી લાઇન!
February 24, 2025 04:54 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech