જામનગર નજીક દરેડ ઇન્દીરા આવાસ ખાતે રહેતા અને દરેડમાં હનુમાનજીના મંદિરની બાજુમાં કાપડની કેબીન ચલાવતા ભાવીનભાઇ સોલંકી નામના યુવાને ઝેરી દવા પી લેતા એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે ખસેડવામાં આવ્યો છે, અમુક અધિકારીનો ત્રાસ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો.
***
જામનગરમાં બિમારી સબબ યુવતિનું મૃત્યુ: મૃતકના વાલી વારસદાર બાબતે પોલીસ દ્વારા કરાતી તપાસ
જામનગરની જી.જી. હોસ્પિટલમાં બીમારીના કારણે દાખલ થયેલી એક યુવતિનું સારવાર દરમિયાન મૃત્યુ નિપજ્યું છે. જેના વાલી વારસદાર બાબતે પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે.
જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં ગત ૩૦.૧૨.૨૦૨૩ના સવારે દસેક વાગ્યાના અરસામાં ચંદ્રિકાબેન મનસુખભાઈ ચૌહાણ નામની ૩૨ વર્ષની યુવતિને બીમારીના કારણે દાખલ કરવામાં આવ્યા હતા, તેણીનું ગઈકાલે સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
મૃતકના કોઈ વાલી વારસદાર ન હોવાથી જી.જી. હોસ્પિટલના તબિબ દ્વારા પોલીસને જાણ કરવામાં આવી હતી. જેથી સીટી બી. ડિવિઝનના પીએસઆઇ ડી. બી. લાખણોત્રાએ મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે, અને મૃતકના વાલી વારસદારોની શોધખોળ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application’’ રકત યજ્ઞ-૨૦૨૫ ’’ માં રેકોર્ડ બ્રેક ૨૬૫૧ બ્લ્ડ યુનિટ એકત્રિત કરતી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ
April 07, 2025 06:51 PMમુળુભાઈ બેરાના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક મળી
April 07, 2025 06:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech