સિહોરના નેસડા રોડ પર બનેલા રેલવે અંડરબ્રિજમાં વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા ન હોવાથી નાળામાં પાણી ભરાઇ રહેતું હોઇ વાહનચાલકો તેમજ લોકોને આવવા-જવામાં ભારે પરેશાની વેઠવી પડી રહી હતી.
વરસાદી પાણીના નિકાલ માટે કોઇ વ્યવસ્થા ન હોઇ પ્રજાને આવવા- જવા માટે પરેશાની વેઠવી પડે છે. કમોસમી વરસાદથી આ તકલીફ છે તો ચોમાસાની ઋતુમાં શું હાલત થશે તે સવાલ વાહનચાલકોને મૂંઝવી રહ્યો છે. સિહોરના ઘાંઘળી રોડ ખાતે રેલવે બ્રિજનું કામ શરૂ હોવાથી હાલ નેસડા રોડ ખાતે નવા બનેલા અંડરબ્રિજથી શહેર તરફ જવા માટે ડાઈવર્ઝન અપાયું છે.
સાંજ પડે હજારો વાહનો અને અસંખ્ય લોકો આ અંડરબ્રિજનો ઉપયોગ કરે છે. જોકે રેલ્વે વિભાગ દ્વારા બનાવાયેલી અંડર પાસમાં પાણીનો યોગ્ય નિકાલ નહિ હોવાના અભાવે અન્ડર પાસમાં વરસાદી પાણી ભરાયા છે. કમોસમી વરસાદ થતાં આ અન્ડરપાસમાં પાણી ભરાતા વાહન ચાલકોને મુશ્કેલી વેઠવી પડી હતી.લોકોની અવર જવરમાં તકલીફ ઊભી થતા થઈ છે. તંત્ર દ્વારા અન્ડર પાસમાં ભરાતા પાણીનો યોગ્ય નિકાલ કરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે..
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech