પોરબંદરના સુપ્રસિધ્ધ સત્યનારાયણ ભગવાનના મંદિરે જન્માષ્ટમીની દિવ્ય વાતાવરણમાં ઉજવણી કરવામાં આવી હતી. પોરબંદરના સુપ્રસિધ્ધ સત્યનારાયણ મંદિરે શ્રાવણ વદ આઠમને સોમવારે જન્માષ્ટમીની ધામધુમથી ઉજવણી મંદિરમાં કરવામાં આવી હતી. જેમાં સવારે મંગળા આરતી, પછી ઠાકોરજીને સ્નાનાદિ કરાવીને તિલક અને ઉપરણા અર્પણ કરી શણગાર કરાયેલ હતો. તેમજ રાત્રે ૧૨ વાગ્યે ઠાકોરજીને પંચામૃત સ્નાનના દર્શન ભકતજનોને કરાવવામાં આવ્યા હતા. આમ મંદિરમાં જન્માષ્ટમીની મધ્યરાત્રિએ, ભક્તિમય માહોલ જામ્યો હતો અને બહોળી સંખ્યામાં ભકતજનોએ દર્શનનો લાભ લીધો હતો. મંદિરના ટ્રસ્ટી શીલાબેન ભરતભાઇ માખેચાના માર્ગદર્શન દ્વારા આ કાર્યક્રમ યોજાયો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMચોમાસા પહેલા જામનગરમાં જોખમી ઈમારતોનો સર્વે
May 19, 2025 06:25 PMજામનગર આઇટીઆઇમાં પ્રવેશ મેળવવા માટે તા.૩૦ જૂન સુધી ફોર્મ ભરી શકાશે
May 19, 2025 05:45 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech