ભાણવડમાં વિના મૂલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ

  • March 17, 2025 10:21 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

એનિમલ લવર્સ ગ્રુપની સેવા પ્રવૃત્તિ



ભાણવડની જાણીતી સેવા સંસ્થા એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે હાલ ઉનાળાના દિવસોમાં અબોલ પક્ષીઓને સહાયભૂત થવાના આશયથી આગામી મંગળવાર તારીખ 18 ના રોજ ભાણવડના રણજીત પરા વિસ્તારમાં આવેલા શિવ બળદ આશ્રમ ખાતે સાંજે 5 થી 8 વાગ્યા સુધી વિના મૂલ્યે પક્ષીઓ માટે પાણીના કુંડા અને ચકલી ઘરનું વિતરણ કરવામાં આવનાર છે. હાલ આકરી ગરમીના દિવસોમાં અબોલ પક્ષીઓને પીવાના પાણી તેમજ આશ્રય સ્થાન મળી રહે તે માટે ઉપરોક્ત લાભ લેવા નગરજનોને એનિમલ લવર્સ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application