શિશુવિહાર સંસ્થા ના સ્થાપક સભ્ય અને સંસ્થા ની અનેક વિધ મહિલા સશકિતકરણ પ્રવૃત્તિ ના પ્રેરણાસ્ત્રોત સ્વ. હીરાબહેન ભટ્ટ ની સ્મૃતિ માં ૨૫ મો મહિલા ઉત્કર્ષ સમારોહ તા.૨૨ નવેમ્બરે વિનય વિહાર કેળવણી મંડળ વાળુકડ ખાતે યોજાયો હતો. ધોરણ ૧૦ અને ૧૨ ની તેજસ્વી દીકરી આર્થિક કારણોસર શિક્ષણ ની મુખ્ય ધારામાંથી બહાર ન રહી જાય તેવા સંસ્થાગત હેતુ થી પ્રારંભાયેલ અને છેલ્લા ૨૫ વર્ષ માં જરૂરીયાતમંદ ૪,૧૩૬ બહેનોને કુલ ૫૨,૧૪,૨૭૨ લાખ ની શૈક્ષણિક સહાય આપવામાં આવેલ. ગાંધી મહેન્દ્ર ચત્રભૂજ એજ્યુકેશનલ ટ્રસ્ટ ના સ્થાપક રજનીકાંત ગાંધી ના સ્મરણાર્થે ગાંધી વિચાર સાથે જોડાયેલ નઇ તાલીમ વિચાર ની વાળુકડ, માઇધાર, થોરડી, બેલા , મણાર , વળાવડ , બાબાપુર, આંબલા , પાણીયાળી તથા ખડસલી શાળા ની ધોરણ ૧૦ અને ૧૨ ની ૨૦૦ બહેનો ને પ્રત્યેક ને રૂ.૩,૦૦૦ ની સહાય ભદ્રેશ ભાઈ ગાંધી તથા હેમંત ભાઈ ગાંધીના હસ્તે વિતરણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શિશુવિહાર દ્વારા ગાંધી વિચારથી પ્રેરિત નઇ તાલીમ શૈક્ષણિક સંસ્થા ઓમાં હોસ્ટેલ માં રહી અભ્યાસ કરતી તમામ બહેનો ને શૈક્ષણિક કીટ પણ વિતરણ થયું .
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 185 નોંધાયા, એક્ટિવ કેસ 1000ની નજીક પહોંચ્યા
June 08, 2025 08:08 PMગુજરાતમાં અકસ્માતોનો કાળો દિવસ: ત્રણ જુદા જુદા અકસ્માતમાં 6ના મોત
June 08, 2025 07:55 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech