જામનગરમાંથી દરરોજ 300 ટન કચરો ઉપાડતો હોવાની વાત જામનગર મહાપાલિકાના શાસકો કહી રહ્યા છે ત્યારે શહેરના કેટલાક વિસ્તારોમાં હજુ પણ ગંદકીનો માહોલ જોવા મળે છે. છેલ્લા કેટલાક સમયથી આ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીને કારણે લોકો ત્રાહિમામ પોકારી ગયા છે . આ અંગે લોકોએ અવારનવાર રજૂઆત કરી હોવા છતાં પણ તંત્ર દ્વારા કોઇ પગલાં લેવામાં ન આવતા લોકોમાં રોષ ફેલાયો છે.
જાણવા મળતી માહિતી મુજબ વિસ્તારમાં અવાર નવાર કચરાના ઢગલા ખડકાય છે. પરંતુ જામનગર મહાપાલિકાના તંત્રને આ અંગે અવારનવાર ફરિયાદ કરી હોવા છતાં ત્યાંથી કચરો ઉપાડતો નથી .જેને કારણે લોકોના આરોગ્ય ઉપર જોખમ ઊભું થયું છે. શા માટે આ વિસ્તારની અવગણના કરવામાં આવે છે? તે લોકોને સમજાતું નથી કચરાને કારણે પશુઓ પણ આ વિસ્તારમાં વધુ એકઠા થાય છે. અને અકસ્માતનો સતત ભય રહે છે. જામનગર મહાપાલિકાના તંત્ર વાહકોએ આ અંગે તપાસ કરીને ધણશેરી, સુભાષ માર્કેટ તથા અન્ય વિસ્તારોમાંથી તાત્કાલિક અસરથી કચરો ઉપાડી લેવો જોઈએ. જો આ કચરો વધુ દિવસ રહેશે તો લોકોના આરોગ્ય ઉપર ગંભીર ખતરો ઉભો થશે માટે જામનગર કોર્પોરેશનના તંત્ર દ્વારા આ વિસ્તારને સ્વચ્છ બનાવવા અભિયાન હાથ ધરું જોઈએ તેવી લોકોમાં માગણી ઉઠવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationફ્લાય ઓવરબ્રિજની કામગીરીના પગલે અંબર ચોકડી પાસે વાહન વ્યવહાર આજથી બંધ કરાયો
April 18, 2025 06:21 PMજામનગર પંચકોશી એ ડિવિઝન પોલીસ મથકના પીઆઇ નીકળ્યા સાયકલ યાત્રાએ
April 18, 2025 06:16 PMજામનગરમાં આજે વિશ્વ હેરિટેજ દિવસની ઉજવણી
April 18, 2025 06:12 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech