પોરબંદરના કોલીખડા નજીક સુકાળા તળાવને વિકસાવવા માટેની કામગીરીનો શુભારંભ થયો છે જેમાં અંદાજે ૬ કરોડ ૫૦ લાખના ખર્ચે બગીચો, સીટીંગ એરીયા, ઓપન જીમ સહિત અધ્યતન સુવિધા સાથેનું પર્યટન સ્થળ બનાવવામાં આવશે તેથી પોરબંદરવાસીઓને જ નહી પરંતુ બહારના પર્યટકોને પણ નવુ નજરાણુ પ્રાપ્ત થશે.
પોરબંદરના કોલીખડા ખાતે સુકાળા તળાવ વિકસાવવાના પ્રથમ તબક્કાના કામનો શુભારંભ ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાના હસ્તે કરાયો છે. મહાનગર પાલિકા દ્વારા ૬.૫૦ કરોડ પિયાના ખર્ચે અનેકવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરી પર્યટક સ્થળ બનાવાશે. માટી કાઢવાનું પ્રથમ તબક્કાનું કામ પૂરું થયા બાદ ચોમાસા પછી મહાનગરપાલિકાનું તંત્ર વિશેષ કામગીરી હાથ ધરશે. એક વર્ષમાં તળાવ વિકસાવવાનું કામ પૂરું થયા બાદ પોરબંદર વાસીઓ અને પર્યટકોને સારી સુવિધા ઉપલબ્ધ થશે.
પોરબંદર નગરપાલિકા મહાનગરપાલિકામાં પાંતરિત થઈ છે, અને મહાનગરપાલિકાના તંત્ર દ્વારા અનેકવિધ વિકાસના કાર્યો હાથ ધરવામાં આવી રહ્યા છે, ત્યારે પોરબંદર નજીક આવેલ કોલીખડા ખાતે સુકાળા તળાવને એક પર્યટક સ્થળ તરીકે વિકસાવવાનું કાર્ય કરવાનું આયોજન થયું છે. પોરબંદર નજીકના કોલીખડા ગામ ખાતે આવેલ સુકાળા તળાવ ૨૦,૧૨૫ ચોરસ મીટરમાં વિકસાવવામાં આવશે, અને આ તળાવ વિકસાવવાની પ્રથમ તબક્કાની કામગીરીનો શુભારંભ કરી દેવામાં આવ્યો છે. ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, રાજ્ય સરકારના પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરીયા, અગ્રણી સામતભાઈ ઓડેદરા, અરશીભાઈ ખૂટી સહિતના આગેવાનો દ્વારા પ્રથમ તબક્કાની કામગીરીનો શુભારંભ કરવામાં આવ્યો છે. અહીં તળાવમાંથી માટી ઉપાડી આ તળાવને ઊંડું ઉતારવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે. તળાવને ઊંડું ઉતારાયા બાદ આ વિસ્તારને એક પર્યટક સ્થળ તરીકે વિકસાવવામાં આવશે. જેમાં નયનરમ્ય બગીચાનું નિર્માણ કરવામાં આવશે. પાર્કિંગ, વોકિંગ, સ્ટ્રીટ લાઈટ, બટરફ્લાય ગાર્ડન, સીટિંગ એરિયા, ઓપન જીમ સહિતની સગવડ ઉપલબ્ધ કરવામાં આવશે. પ્રથમ તબક્કાનું કામ પૂરું થયે ચોમાસા પછી મહાનગરપાલિકાનું તંત્ર પર્યટક સ્થળ બનાવવા માટે કામગીરી કરશે. અને અંદાજે એક વર્ષમાં સુકાળા તળાવને પર્યટક સ્થળ તરીકે બનાવવાની કામગીરી પૂરી થયા બાદ પોરબંદર વાસીઓને જ નહીં પરંતુ પર્યટકોને પણ સારી સુવિધા ઉપલબ્ધ થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઆબોહવા પરિવર્તનનો ટાળવા દરિયામાં પરમાણુ વિસ્ફોટ કરો: યુએસ સંશોધકનની વિચિત્ર સલાહ
June 11, 2025 10:51 AMયાત્રાધામ દ્વારકામાં પવિત્ર જળસેવા માટે ઘડી ડીટર્જન્ટ તરફથી ભાવિકો માટે ભેટ
June 11, 2025 10:49 AMજામનગર શહેરમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા ખોલવા પર પ્રતિબંધ
June 11, 2025 10:44 AMહવે ડ્રેગનને સંબંધ સુધારવામાં રસ જાગ્યો, ખાસ મંત્રીને ભારત મોકલશે
June 11, 2025 10:42 AMરાજકોટ જિલ્લાની 867 શાળાઓમાં 18,517 બાળકોને પ્રવેશ અપાશે
June 11, 2025 10:41 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech