ગઈકાલે નરેન્દ્ર મોદીએ વાઇસ પ્રેસિડેન્ટ જેડી વેન્સ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કર્યા. જેમાં વેપાર અને ટેરિફ પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું. બેઠકમાં ભારત-અમેરિકા વ્યૂહાત્મક સહયોગ, દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા અને યુએસની વેપાર નીતિઓમાં તાજેતરના ફેરફારો અંગે ભારતની ચિંતાઓને દૂર કરવા પર ચર્ચા થઈ.
કૃષિ અને ડેરી આવા બે ક્ષેત્રો છે, જેને અમેરિકા માટે સંપૂર્ણ રીતે ખોલવામાં ભારતને મુશ્કેલી છે. દેશની કૃષિ પેદાશોને સાચવવાની સાથે સાથે સાંસ્કૃતિક અવરોધો પણ સામે આવી રહ્યા છે. એક તરફ ચીન સાથે વધતા વેપાર તણાવને કારણે અમેરિકા ભારતમાં તેની કૃષિ અને ડેરી ઉત્પાદનોની નિકાસ કરવા માંગે છે.
ભારતે ડેરી ઉત્પાદનો પર કોઈ સમાધાન ન કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો છે. ભારતે સ્પષ્ટપણે કહ્યું છે કે અમેરિકન ડેરી ઉત્પાદનોને આપણા બજારમાં પ્રવેશવાની મંજૂરી આપી શકાય નહિ કારણ કે ત્યાંના પ્રાણીઓને માંસાહારી ખોરાક આપવામાં આવે છે. ભારતે કહ્યું કે જ્યાં સુધી અમેરિકા તેની ખોરાક આપવાની પદ્ધતિઓમાં ફેરફાર નહીં કરે અને ભારત પાસેથી શાકાહારી પ્રમાણપત્ર ન મેળવે ત્યાં સુધી તેના ઉત્પાદનોને ભારતીય બજારમાં પ્રવેશવાની મંજૂરી આપી શકાશે નહીં.
આ મામલા સાથે સંકળાયેલા ત્રણ અધિકારીઓએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે ચાલી રહેલી વેપાર વાટાઘાટોમાં, અમેરિકા ભારત પર તેના ડેરી ઉત્પાદનો માટે બજાર ખોલવા માટે દબાણ કરી રહ્યું છે. જોકે, ભારતે પોતાનો ઇરાદો સ્પષ્ટ કર્યો છે અને કહ્યું છે કે જ્યાં સુધી અમેરિકામાં પશુઓને ખોરાક આપવામાં ફેરફાર નહીં થાય ત્યાં સુધી ચીઝ અને બટર જેવા અમેરિકન ડેરી ઉત્પાદનોને ભારતમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. આ ઉપરાંત, ભારતે કેટલાક ડ્રાયફ્રુટ અને ફળો પરની ડ્યુટી ઘટાડવાની પણ અપીલ કરી છે.
આ બાબત સાથે સંકળાયેલા એક અધિકારીએ જણાવ્યું હતું કે વાતચીત દરમિયાન, ડેરી ઉત્પાદનો અંગે પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો હતો કે અમેરિકામાં પશુ આહારની પદ્ધતિઓ ભારત કરતા ઘણી અલગ છે. અમેરિકામાં, પશુઓને માંસ આધારિત પ્રોટીન સ્ત્રોતો ધરાવતો ખોરાક આપવામાં આવે છે, જે ભારતીય બજાર માટે યોગ્ય નથી. ભારતીય પશુઓના આહારની રચના જાણીતી છે, જેમાં પ્રોટીન મુખ્યત્વે ઓઈલ કેક જેવા સ્ત્રોતોમાંથી પૂરું પાડવામાં આવે છે, જ્યારે પશ્ચિમી દેશોમાં પશુ ચરબી ભેળવીને ખવડાવવામાં આવે છે.
ભારતે અમેરિકાને તેની ચિંતાઓથી વાકેફ કર્યા છે. તેમનું કહેવું છે કે આ મુદ્દો વેપારથી આગળ વધે છે અને તેમાં ઊંડી સામાજિક અને સાંસ્કૃતિક સંવેદનશીલતાઓ શામેલ છે. આ સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને, ભારતના ખાદ્ય સુરક્ષા નિયમો પણ પશુઓના ચારામાં માંસાહારી વસ્તુઓ ઉમેરવા પર પ્રતિબંધ મૂકે છે. ભારતે કહ્યું છે કે જે પ્રાણીઓમાંથી આપણને દૂધ અને માંસ જેવા ઉત્પાદનો મળે છે તેમને અન્ય કોઈપણ પ્રાણીઓમાંથી બનાવેલા ઉત્પાદનો ખવડાવી શકાતા નથી.
ભારત સાથેના વેપાર કરારમાં, અમેરિકા ભારત પર તેના ડેરી ઉત્પાદનો અંગે દબાણ લાવી રહ્યું છે કારણ કે ચીને તેના ઉત્પાદનો ખરીદવાનું લગભગ બંધ કરી દીધું છે. ચીને અમેરિકન ડેરી ઉત્પાદનો પર પણ ભારે ટેરિફ લાદ્યો છે. તેથી, અમેરિકા હવે ભારતીય બજાર તરફ જોઈ રહ્યું છે. ગ્લોબલ ટ્રેડ રિસર્ચ ઇનિશિયેટિવના સહ-સ્થાપક અજય શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે ભારત હાલમાં એકમાત્ર દેશ છે જે ટ્રમ્પ વહીવટીતંત્ર સાથે સક્રિય એફટીએ વાટાઘાટોમાં સામેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅનન્યાનો પિતરાઈ અહાન ફિલ્મ સૈયારા સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરશે
April 22, 2025 12:00 PMસૈફ અલી ખાને કતારમાં વૈભવી ઘર ખરીદ્યું
April 22, 2025 11:57 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech