સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં-4ની આજુ બાજુના વિસ્તાર કે જે આઘાટ તરીકે ઓળખાય છે તેને અશાંતધારા સમાવેશ કરવા માટે વિસ્તારવાસીઓ દ્વારા માગણી કરવામાં આવી છે. વિસ્તારમાં રહેતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ કલેકટર અને પોલીસ કમિશનરને પત્ર પાઠવી આ મુદ્દે રજૂઆત કરી હતી.
શહેરના કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરી જમીન મકાનની લે-વેંચ પર કેટલાક નિયમો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં-4ના રહેતા વિસ્તારવાસીઓ દ્વારા કલેકટર કચેરીએ સામુહિક રીતે દોડી ગયા હતા અને કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, અમારી આજુબાજુ શેરી નં-3 અને 5 નો સમાવેશ થાય છે જેમાં થોડા ઘણા મકાનો સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પ્રાઇવેટ (આઘાટ) તરીકે ઓળખાય છે, અને અમુક મકાન પ્રકાશ સોસાયટીના અઘાટ એરિયામાં આવે છે. આથી અમારી શેરી નંબર-3-4 અને 5ને અશાંત ધારાના કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવે, જેથી કરીને એરિયાની ડેમોગ્રાફી અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે,
વધુમાં જણાવ્યું હતું કે, ફક્ત થોડા જાજા મકાનો માટે સર્વે નંબર-91 લાગુ પડે છે અને અશાંતધારામાં આવતો ન હોવાથી 1-2 મકાનો બાહ્ય કોમ્યુનિટીમાં વેચાઈ ગયા છે જેમાં હવે કોઈ ફેરફાર થઇ શકે નહીં અને હજુ પણ ઈન્કવાયરી થઇ રહી છે, આથી અમો રહીશોને એવો ભય સતાવી રહ્યો છે કે, આવતા દિવસોમાં બીજી જ્ઞાતિની વસ્તી વધારે થઇ જશે તો આસપાસના એરિયાને પણ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આથી આપણા માધ્યમથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં માગ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech