રાજકોટમાં સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર આસપાસના વિસ્તારમાં અશાંતધારો લાગુ કરવા માગ

  • March 17, 2025 04:37 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં-4ની આજુ બાજુના વિસ્તાર કે જે આઘાટ તરીકે ઓળખાય છે તેને અશાંતધારા સમાવેશ કરવા માટે વિસ્તારવાસીઓ દ્વારા માગણી કરવામાં આવી છે. વિસ્તારમાં રહેતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ કલેકટર અને પોલીસ કમિશનરને પત્ર પાઠવી આ મુદ્દે રજૂઆત કરી હતી.

શહેરના કેટલાક વિસ્તારમાં અશાંતધારો લાગુ કરી જમીન મકાનની લે-વેંચ પર કેટલાક નિયમો લગાવવામાં આવી રહ્યા છે. ત્યારે આજરોજ સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર શેરી નં-4ના રહેતા વિસ્તારવાસીઓ દ્વારા કલેકટર કચેરીએ સામુહિક રીતે દોડી ગયા હતા અને કલેક્ટરને પત્ર પાઠવી રજૂઆત કરી હતી કે, અમારી આજુબાજુ શેરી નં-3 અને 5 નો સમાવેશ થાય છે જેમાં થોડા ઘણા મકાનો સૌરાષ્ટ્ર કલા કેન્દ્ર પ્રાઇવેટ (આઘાટ) તરીકે ઓળખાય છે, અને અમુક મકાન પ્રકાશ સોસાયટીના અઘાટ એરિયામાં આવે છે. આથી અમારી શેરી નંબર-3-4 અને 5ને અશાંત ધારાના કાયદા હેઠળ સમાવેશ કરવામાં આવે, જેથી કરીને એરિયાની ડેમોગ્રાફી અને સુખ સમૃદ્ધિ જળવાઈ રહે,

વધુમાં જણાવ્યું હતું કે, ફક્ત થોડા જાજા મકાનો માટે સર્વે નંબર-91 લાગુ પડે છે અને અશાંતધારામાં આવતો ન હોવાથી 1-2 મકાનો બાહ્ય કોમ્યુનિટીમાં વેચાઈ ગયા છે જેમાં હવે કોઈ ફેરફાર થઇ શકે નહીં અને હજુ પણ ઈન્કવાયરી થઇ રહી છે, આથી અમો રહીશોને એવો ભય સતાવી રહ્યો છે કે, આવતા દિવસોમાં બીજી જ્ઞાતિની વસ્તી વધારે થઇ જશે તો આસપાસના એરિયાને પણ ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડશે. આથી આપણા માધ્યમથી આ પ્રશ્નનું નિરાકરણ લાવવામાં માગ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application