કોર્પોરેશન દ્વારા ડીપી કપાતમાં ડીમોલીશન કરાયુ હોય તેઓને વળતર આપવા માંગ

  • June 06, 2025 11:10 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

કોર્પોરેટર રચના નંદાણીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર


જામનગર શહેરમાં ડીપી કપાતમાં અંદાજે ૩૦૦થી વધુ મકાન-દુકાનનું ડીમોલીશન કરવામાં આવ્યુ છે ત્યારે જે કોઇ મકાન માલીકના મકાનનું ડીમોલીશન થયુ છે તેઓને તાત્કાલીક અસરથી સહાય/વળતર આપવાની માંગણી વોર્ડ નં. ૪ના કોર્પોરેટર રચના નંદાણીયાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે.


આ પત્રમાં જણાવાયું છે કે શહેરમાં ડોમોલીશન થાય છે ત્યારે આવા મકાનોમાં ગરીબ અને મઘ્યમ વર્ગના લોકો રહેતા હોય છે અને અંદાજે ૪ થી ૫ પેઢીથી તેઓ ત્યાં વસવાટ કરતા હોય છે ઉપરાંત કોર્પોરેશનનો હાઉસ ટેક્ષ, વોટરચાર્જીસ અને અન્ય ટેક્ષની ચુકવણી પણ તેઓ કરતા હતા હાલમાં મોંઘવારી વધતી જાય છે ત્યારે પોતાના ઘરમાં પણ પુરુ પડતુ ન હોય ત્યારે આ લોકોના ઘરો તોડી પાડવાથી તેઓ હવે કયાં જશે ? મારી આપ સાહેબને વિનંતી છે કે શહેરમાં જેટલા મકાનોનું ડીમોલીશન થયુ છે તે તમામ મકાન/દુકાનધારકોને યોગ્ય સહાય વળતર આપવા માંગણી છે.


ડીપી કપાત બાબતે મહાપાલીકાના જે તે લગત અધિકારી છે તેમની જાણ હોવા છતા લગત અધિકારી દ્વારા ગમે ત્યારે ડીમોલીશન કરવામાં આવશે અધિકારીઓ દ્વારા હાઉસ ટેક્ષ, વોટરચાર્જ અને અન્ય ચાર્જ ઉઘરાવવામાં આવતા હતા જો અધિકારીઓને આ મકાનો અંગે પહેલેથી જાણ હોય તો આવા ટેક્ષ શા માટે ઉઘરાવવતા હતા ત્યારે આવા અધિકારીઓ સામે પણ કાર્યવાહી કરવા માંગણી છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application