જામનગર શહેરમાં નાગેશ્ર્વર વિસ્તારમાં પૌરાણીક અંદાજે ૬૦ વર્ષ જુનું શ્રી ખોડીયાર માતાજીનું મંદિર છે. જેમાં માતાજીલની મૂર્તિ સ્વયંભુ પ્રગટ થયેલ છે અને આ લોકોની ધામિૃક આસ્થા શ્રદ્ધાને પૂજનીય માતાજી છે. આ મંદિરને ડીમોલેશન કરવાથી શ્રદ્ધાળુઓની ધાર્મિક લાગણી દુભાશે. આ બાબતે આઇશ્રી ખોડીયાર સેવા મંડળના પ્રમુખ સંદીપગીરી તથા હોદેદારો દદ્વરાુરરા કમિશનરને પત્ર પાઠવીને રજુદઆત કરી છે.
રવરફ્રન્ટ બનવાથી જામનગરની પ્રજાને ફાયદો થશે જે આવકાર દાયક છે. પરંતુ બંધારણીય નિશયમ મુજબ ધાર્મિક સામાજીતક લાગણીને ઠેસ ન પહોંચે તે જોષવરાની પણ સરકારની પ્રાથમિક ફરજ છે. અમારી જાણ મુજબ રીવરફ્રન્ટ બનાવવા નદીને ઉંડી કરવી ફરજીયાત છે, જે અંદાજે ૭૦ મીટર કરવાથી આ શ્રી ખોડીયાર માતાજીલના મંદિરને તોડવાની જર રહેતી નથી. વર્ષોથી મંદિરની સાઇડમાંથી નદીનો પ્રવાહ જાય છે જેથી જામનગરની જનતાને કોઇપણ પ્રકારનું નુકશાન થતું નથી. શ્રી ખોડીયાર મંદિરની આજુફબાજુથી એટલે કે મોરા થી ૨૦ મીટર તેમજ મંદિરના પાછળના ભાગથી ૫૦ મીટર કપાત કરવાથી મંદિર અખંડ રહેશે અને મંદિરનું ડીમોલેશન કરવાની જરિયાત રહેશે નહીં. અને મંદિરના રહેવાથી લોકોની શ્રદ્ધરા શ્રી ખોડીયાર માતાજીલની આસ્થા ટકી રહેશે તેમજ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ પાપના ભાગીદાર નહીં બને વધુમાં જણાવવાનું કે આટલી કપાત કરવાથી મંદિરના કારણે નદીના પાણીનું વહેણ અટકશે નહીંતેમજ આ નદીમાંથી પાણીનો નિકાલ સરળતાથી થઇ જશે અને લોકોલને મુશ્કેલી નહીં પડે.
હાલમાંવરસાદી મોસમ છે રીવરફ્રન્ટ બનતા ઘણા રહેવાસીઓને પાડવાની નોટીસો આપેલ છે. તેને પણ ત્રણ માસની મુદત આપેલ છે જે જાહેર જનતામાંથી અમોને જાણકારી મળેલ છે માટે શ્રી ખોડીયાર માતાજી મંદિરવાળી જગ્યા છોડીને અત્યારે નદી ઉંડી ઉતારવાની કામગીરી શ કરી શકાય તેમ છે. કામ ઘણું જ હોવાથી શ્રી ખોડીયાર મંદિરનો પ્રશ્ર્ન છેલ્લે લોકોના સહકારથી નીકાલ કરવા જરી જણાય છે. આ બાબતે માંગણી ઘ્યાને લેવા અપીલ કરાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application