જામનગર જિલ્લામાં નાની ઉંમરે હાર્ટ એટેક આવી જવાના બનાવમાં વધારો થયો છે, અને ગઈકાલે વધુ બે વ્યક્તિના હૃદય થંભી જવાના કારણે મૃત્યુ નીપજ્યા નું મધ્ય પ્રદેશમાં જાહેર થયું છે.
જામનગર નજીક મોટી ખાવડી વિસ્તારમાં ખાનગી કંપનીની ટાઉનશિપમાં રહેતો અને મૂળ પંજાબના અમૃતસરનો વતની અરવિંદસિંહ ગુરુદેવસિંહ નામનો ૨૮ વર્ષનો પંજાબી યુવાન, કે જે ગઈકાલે પોતાના ભાડાના મકાનમાંથી બે શુદ્ધ અવસ્થામાં મળી આવ્યો હતો.
જેથી તેમના રૂમ પાર્ટનરે ૧૦૮ ની ટીમને જાણ કરતાં ૧૦૮ ની ટુકડી ઘટના સ્થળે દોડી આવી હતી, અને તેને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા. જેમાં હાર્ટ ફેઈલ થઈ જવાથી મૃત્યુ થયું હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસ તપાસ ચલાવે છે.
જામનગર નજીક દરેડ માં રહેતા અને મૂળ બિહાર રાજ્યના વતની પપ્પુભાઈ (ઉંમર વર્ષ ૩૫) એકાએક બેશુદ્ધ અવસ્થામાં મળી આવ્યા હતા, આ બનાવ અંગે સૂર્યકાંત પ્રસાદ ઉર્ફે સૂરજ પ્રસાદે પોલીસને જાણ કરતાં પંચકોષી ડિવિઝન પોલીસે પપ્પુભાઈના કબજો સંભાળી પોસ્ટમોર્ટમ કરાવ્યું છે અને સમગ્ર બનાવમાં ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationકોંગ્રેસ નેતા સોનિયા ગાંધીની તબિયત અચાનક લથડી, સારવાર માટે શિમલાની IGMC હોસ્પિટલમાં ખસેડાયા
June 07, 2025 06:43 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech