પુત્રએ બેંકમાં ઘર ગીરવે મુકી 23 લાખની લોન લીધી, 13 હપ્તા ચડત થઈ જતા મકાન જપ્ત કરવાની કાર્યવાહી સમયે પિતાએ અગ્નિસ્નાન કરતા મોત

  • April 21, 2025 04:11 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આજીડેમ પોલીસ સ્ટેશન નજીક શિવપાર્કમાં બેંકમાં ગીરવે પડેલા મકાન જીની કોર્ટની મંજૂરી બાદ કાર્યવાહી માટે બેંક, કોર્ટ અને પોલીસ અધિકારીઓ સહિતના મિલ્કતદારના ઘરે જતા આધેડએ અગ્નિસ્નાન કરી લેતા મોત નીપયું હતું. બનાવના પગલે કાર્યવાહી માટે ગયેલા સેશન્સ કોર્ટના અધિકારીએ પિતા–પુત્ર સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધ્યો છે.


પુત્રની ઉશ્કેરણીથી અગ્નિસ્નાન કરી લીધું 

કોઠારિયા રોડ આજી ડેમ પોલીસ સ્ટેશન નજીક શિવ પાર્કમાં રહેતા જયંતીભાઈ ચુનીભાઈ પરમાર (ઉં.વ.૫૫) નામના આધેડ રવિવારે પોતાના ઘરે ઉપરના માળે અગ્નિસ્નાન કરી લેતા ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ તેમનો જીવ બચી શક્યો ન હતો. આધેડે મકાન લોનની ભરપાઇ ન કરતા બેંક દ્રારા મકાન જપ્ત કરવા માટે કોર્ટમાં અરજી કરી હતી. કોર્ટ દ્રારા જી માટેની મંજૂરી આપવામાં આવતા ગઈકાલે બેંકના અધિકારીઓએ કોર્ટ વકીલ અને પોલીસ અધિકારી કર્મચારીઓને સાથે રાખી મકાન જી માટે જતા આધેડે પુત્રની ઉશ્કેરણીથી અગ્નિસ્નાન કરી લીધું હતું.     



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application