પોરબંદરની રમણીય ચોપાટી ઉપર ૧૦૦ કિલો વજન ધરાવતા ગ્રીન સી ટર્ટલ કાચબાનો મૃતદેહ તણાઈ આવ્યો હતો,નાની ઉંમરના કાચબાનું મોત કઈ રીતે થયું? તે વિગત પોસ્ટમોર્ટમ બાદ બહાર આવશે.
પોરબંદરમાં મોટી સંખ્યામાં લોકો ચોપાટી પર ફરવા જતા હોય છે ત્યારે જીમની નજીક દરિયાકાંઠે વિશાળ કદના ૩ ફૂટ થી વધુ લંબાઈ ધરાવતા કાચબાનો મૃતદેહ તણાઈ આવતા લોકો તેને જોવા એકઠા થઈ ગયા હતા. અને વન વિભાગને તેની જાણ કરીને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી કરવા માંગ કરી હતી. ત્રણ ફૂટ લંબાઈ અને સો કિલો વજન ધરાવતા આ કાચબા નું કઈ રીતે મોત થયું? તે તપાસનો વિષય બન્યો છે કારણ કે તેના શરીર ઉપર ઇજા ના કોઈ નિશાન જોવા મળ્યા નથી. તેથી દરિયાઈ કેમિકલને કારણે કે દરિયાઈ પ્રદૂષણને લીધે અથવા બીમારીને લીધે મૃત્યુ પામ્યો? તે વિગત બહાર લાવવા માટે પોસ્ટ મોર્ટમ જરી છે. નાની ઉંમરનો જણાઇ રહ્યો છે તેથી પીએમ રિપોર્ટ બાદ તેના મોતનું સાચું કારણ બહાર આવશે.અવારનવાર પોરબંદરના દરિયાકાંઠે કાચબા ના મૃતદેહ આવતા હોય છે ત્યારે આ કાચબા ના મૃતદેહે પણ અનેકવિધ ચર્ચાઓ જગાવી હતી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMએશિયામાં કોરોનાની નવી લહેર: સિંગાપોર, હોંગકોંગ, ચીન અને થાઈલેન્ડમાં વધ્યા કેસ
May 19, 2025 08:09 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech