જામનગર અને વિશ્ર્વના લોહાણા અગ્રણીના પુત્રને 35 લાખની ચેક રીટર્નની ફરીયાદમાં જામનગરની કોર્ટે નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.
જામનગર શહેરમાં રહેતા લોહાણા અગ્રણી વેપારી એવા જામનગર લોહાણા મહાજનના કારોબારી સભ્ય છે, સમસ્ત હાલાર લોહાણા સમાજના ઉપપ્રમુખ અને વિશ્ર્વ લોહાણા મહાપરિષદના સૌરાષ્ટ્ર ઝોન-1ના પ્રમુખ તરીકે જવાબદારી નિભાવે છે. જામનગર ખંભાળીયા રોડ પર સિકકા ખાતે આવેલ સૌરાષ્ટ્ર કેલ્સાઇન બોકસાઇ એન્ડ એોલાઇડ ઇન્ડસ્ટ્રીઝ લી.ના ડાયરેકટર છે જે કંપની કેલ્સાઇન બોકસાઇટ ઉત્પાદનમાં વિશ્ર્વમાં ત્રીજા નંબર આવે છે તેવા અરવિંદભાઇ પાબારીના પુત્ર જય પાબરી સામે મહિપતસિંહ મનુભા રાઠોડએ ા. 35 લાખની ચેક રીટર્નની ધી નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138 મુજબની ફરીયાદ નોંધાવી હતી.
જે ફરીયાદ ચાલી જતા જપ પાબારીના વકીલ દ્વારા કરવામાં આવેલ ધારદાર રજુઆતો જેવી કે મહિપતસિંહ અને જય વચ્ચે આવો કોઇ વ્યવહાર થયેલ જ નથી, જય કયારે પણ મહિપતસિંહને મળેલ નથી, મહિપતસિંહએ યેન કેન પ્રકારે જયનો ચેક મેળવી આ ખોટી ફરીયાદ કરેલ છે, મહિપતસિંહની હાલની ફરીયાદ પોતાની આર્થિક સઘ્ધરતા સાબીત કરી શકેલ નથી આટલી મોટી રકમ તેમના પાસે કયાંથી આવી કે આટલી મોટી રકમ તેમના બુકસ ઓફ એકાઉન્ટમાં પણ હોય તેવુ ફરીયાદી પુરવાર કરી શકેલ નથી જે પુરવાર કરવાની જવાબદારી ફરીયાદી પર હોય છે જયના વકિલ દ્વારા રજુ કરવામાં આવેલ ગુજરાત હાઇકોર્ટના ચુકાદાઓ દ્વારા સ્પષ્ટ તારણ કાઢેલ છે.
જે રજુ કરવામાં આવેલ ચુકાદારો અને જયના વકીલ દ્વારા કરવામાં આવેલ ધારદાર રજુઆતો ઘ્યાન પર લઇ જામનગરના એડી. ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ બી.જી. પટેલએ શંકાનો લાભ આપી આ કેસમાં જયને નિદોર્ષ છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે. આ કેસમાં જય તરફે ભોજાણી એસોસીએટસના યુવાન ધરાશાસ્ત્રી પિયુષ વી. ભોજાણી, ભાવિન વી. ભોજાણી, કિશોર ડી. ભટ્ટ, ભાવિન જે. રાજદેવ, અર્સ વાય. કાસમાણી, સચિન યુ. જોશી તથા અલ્કા નથવાણી રોકાયા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationLSG vs GT IPL 2025: લખનૌ સુપર જાયન્ટ્સ 6 વિકેટથી જીત્યું ગુજરાતની હાર
April 12, 2025 09:42 PMદેશભરમાં વોટ્સએપ સેવા ઠપ્પ, ગ્રુપમાં મેસેજ નથી જઈ રહ્યા, કોલ પણ નથી થઈ રહ્યો
April 12, 2025 08:58 PMપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech