ધોરાજી સરકારી હોસ્પિ.ના પુન: નિર્માણમાં ભ્રષ્ટ્રાચાર: કોંગ્રેસ

  • April 12, 2025 11:27 AM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


ધોરાજી શહેરમાં રાજાશાહી વખતની નિર્મિત સરકારી હોસ્પિટલની બિલ્ડીંગ જૂની હોવાના કારણે આ બિલ્ડીંગના પુન:નિર્માણ માટે તત્રં દ્રારા કોન્ટ્રાકટર મારફતે કામગીરી શ કરવામાં આવી હતી. ત્યારે આ કામમાં ભ્રષ્ટ્રાચાર થયો હોવાનો આક્ષેપ રાજકોટ જિલ્લ ા કોંગ્રેસ પ્રમુખે કર્યેા છે.
ધોરાજી સરકારી હોસ્પિટલ રાજાશાહી વખતમાં બનાવવામાં આવી હતી અને સમયકાળે એ જ હોસ્પિટલના મેદાનમાં દાતાઓના દાનથી નવા બિલ્ડીંગનું નિર્માણ કરવામાં આવ્યું હતુ. એ ચાર માળની બિલ્ડિંગમાં આજે હોસ્પિટલના વિવિધ યુનિટ કામ કરી રહ્યા છે. ત્યારે નવી બિલ્ડિંગમાં પેશન્ટની સંખ્યા અને ડોકટરી વિભાગોને લઈ સંકળાશ પડી રહી છે. જેથી રાજાશાહી વખતનું જૂનું બિલ્ડીંગ પાડી ત્યાં નવું બિલ્ડિંગ બનાવી વધારાની સુવિધા ઉભી કરવા માટે સરકાર દ્રારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી જેના અનુસંધાને કોન્ટ્રાકટરને જુનુ બિલ્ડીંગ તોડવા કોન્ટ્રાકટ અપાયેલો હતો, જે બિલ્ડીંગ તોડવામાં મોટા પાયે ભ્રષ્ટ્રાચાર અને ઘાલમેલ થયો હોવાની ચર્ચાઓ ચાલી રહી છે.રાજકોટ નાધોરાજીના માજી ધારાસભ્ય લલિત વસોયાનો આક્ષેપ છે કે હોસ્પિટલના ડિમોલેશન દરમિયાન નીકળેલા કાટમાળમાંથી લાખો પિયાનો કાટમાળ કોન્ટ્રાકટર ચાઉ કરી ગયા અને તત્રં દ્રારા કોઈપણ પ્રકારના પગલાં લેવાયા નથી. ઉપરાંત ભારતીય જનતા પાર્ટીના રાજકીય આગેવાન હોવાથી વહીવટ કરવામાં આવ્યો હતો.
સરકાર દ્રારા જુનું ગોંડલ સ્ટેટ વખતનું જે બિલ્ડીંગ હતું તેના માટે પૈસાની ફાળવણી કરવામાં આવી હતી. જેમાં તેમનું ટેન્ડર કરવામાં આવ્યું અને કોન્ટ્રાકટર કામ કરવા માટે આવ્યો હતો. જેમાં જુના બર્માટીક સાગના એક કરોડ ઉપરાંતના લાકડા અને બારી દરવાજા લઈને કોન્ટ્રાકટર છુમંતર થઈ ગયો છે. ડેપ્યુટી કલેકટરના અધ્યક્ષ સ્થાને રોગી કલ્યાણ સમિતિમાં ચાર વખત આ કોન્ટ્રાકટર સામે પગલાં લેવાની નાગરિકતા ઠરાવો પણ કરવામાં આવ્યા છે. અગાઉ આક્ષેપો થયા ફરી વાર આજ બિલ્ડિંગને રિનોવેશન કરવા માટે ૧,૫૦ કરોડ જેવી માતબર રકમ ફાળવવામાં આવી છે.જૂનું લાકડું,બારીઓ તેમજ અન્ય પ્રકારના જૂનવાણી રાજાશાહી વખતના બિલ્ડિંગને રિનોવેશન કરવા માટે ગ્રાન્ટ ફાળવાઈ છે. પરતું રાજાશાહી વખતના બિલ્ડિંગ હવે પહેલા જેવી બિલ્ડિંગ રહી નથી.તો આ ગ્રાન્ટ કેમ ફાળવવામાં આવી એ પણ સવાલો ઉભા કરે છે.સિવિલ હોસ્પિટલના અધિક્ષકના જણાવ્યા અનુસાર પીઆરોમાંથી અધધ પિયાની ૧.૫૦ કરોડ અને એ પણ રિનોવેશન માટે ફાળવવામાં આવ્યા છે..ત્યારે સવાલો એ થાય આટલાં પિયામાં તો નવી ઇમારત બની જાય.યારે રાજાશાહી સમયની બિલ્ડિંગની જાળવણી જ કરવી હોય તો કેમ? સ્મારક જાળવણી વિભાગની દેખરેખ નીચે આ રિનોવેશન ના આપવામાં આવ્યો ત્યારે. કોન્ટ્રાકટ અને મળતિયાઓ આ બિલ્ડિંગમાં રિનોવેશનના નામે પિયાની કટકી કરશે તેવા સવાલો ઉભા થયા છે.આ બાબતે અગાઉથી જ પૂર્વ ધારાસભ્ય અને રાજકોટ જિલ્લ ા કોંગ્રેસ પ્રમુખ એકિટવ થયા છે.અને અગાઉ કોન્ટ્રાકટ દ્રારા કરેલ ભ્રષ્ટ્રાચાર ફરી વાર ન થાય તે માટે જરી ધ્યાન આ બિલ્ડિંગમાં રિનોવેશનના નામે કરવામાં આવેલ ખર્ચ પર રાખશે તેવું પણ જણાવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application