રાજકોટ મ્યુનિસિપલ કમિશનરએ શાક માર્કેટના થડાનું ભાડું બમણું કરવા તેમજ સફાઈ ચાર્જ અને જીએસટી અલગ વસૂલવા દરખાસ્ત કરી છે, હાલ મહિને ૫૦૦ વસુલાઇ છે તેના બદલે ૧૫૦૦ વસૂલવા સુચવ્યું છે. આવતીકાલે મળનારી સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આ અંગે નિર્ણય થશે.
હાલ લીઝ ચાર્જ પર ૧૮ ટકા જીએસટી વસુલવામાં આવે છે
વિશેષમાં મ્યુનિ.કમિશનરે દરખાસ્તમાં જણાવ્યું છે કે, રાજકોટ મહાનગરપાલિકા હસ્તક શહેરમાં જુદી-જુદી જગ્યાએ આવેલ શાક માર્કેટ તથા ફ્લાવર માર્કેટ તેમજ ખડપીઠમાં આવેલ થડા, ઓટા, સ્ટોલ, વખાર, દુકાન ઇત્યાદિનું માસિક ભાડું લીઝ ચાર્જ હાલ રૂ.૫૦૦ વસુલવામાં આવે છે. આ ભાડા પર વખતો વખત લાગુ પડતો વેરો ભરપાઇ કરવાની જવાબદારી ફાળવણીદારની રહે છે. જે મુજબ હાલ લીઝ ચાર્જ પર ૧૮ ટકા જીએસટી વસુલવામાં આવે છે.
લીઝ દરો રીવાઇઝ કરવા જરૂરી જણાય છે
આ તમામ માર્કેટની વહીવટી તથા સફાઇની કામગીરી માટે અલાયદો સ્ટાફ રોકાયેલ છે. ઉપરાંત માર્કેટ રીપેરીંગ-રીનોવેશન, લાઇટ બીલ તેમજ સીકયોરીટી વગેરે માટે પણ મોટા પ્રમાણમાં ખર્ચ થવા પામે છે. આ તમામ શાક માર્કેટોમાં સફાઇની કામગીરી સુ-વ્યસ્થિત થાય તે માટે દરેક તમામ માર્કેટોમાં સફાઇની કામગીરી માટે વધુ સફાઇ કર્મચારી મુકવાના થાય છે. આ તમામ ખર્ચના વધારાને ધ્યાને લેતા લીઝ દરો રીવાઇઝ કરવા જરૂરી જણાય છે.
નવ વર્ષમાં ભાડાના દરમાં કોઇ વધારો કરવામાં આવેલ નથી
તમામ માર્કેટના થડાના ભાડાના દર રૂ.૫૦૦ નિયત કરવામાં આવેલ છે જે છેલ્લા નવ વર્ષથી વસુલવામાં આવે છે અને નવ વર્ષમાં ભાડાના દરમાં કોઇ વધારો કરવામાં આવેલ નથી. તમામ શાક માર્કેટના નિભાવ ખર્ચ તેમજ કામદારોના મીનીમમ વેઇજીસમાં થયેલ વધારો ધ્યાને લેતા, તમામ માર્કેટના માસિક ભાડાના દરો રિવાઇઝડ કરી નવા દરો નક્કી કરવા યોગ્ય જણાય છે જેમાં હવેથી દર મહિને ભાડું રૂ.૧૦૦૦, માસિક સફાઈ ચાર્જ રૂ.૫૦૦ અને જીએસટી અલગ વસૂલવા સુચવ્યું છે.
મનપા હસ્તક ૮ માર્કેટ, ૭૫૦ થડા
-જ્યુબિલી શાક માર્કેટ
-લાખાજીરાજ શાક માર્કેટ
-ગુંદાવાડી શાક માર્કેટ
-ગોવિંદબાગ શાક માર્કેટ
-કોઠારીયા હુડકો શાકમાર્કેટ
-ભોજા ભગત શાક માર્કેટ
-લીલી સૂકી ખડ પીઠ
-રામનાથપરા ફ્લાવર માર્કેટ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં ડિમોલીશન અંગે કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સ્થાનિકોને સાથે રાખીનો વિરોધ કર્યો
May 31, 2025 12:12 PMઆજે ફરી જામનગરમાં મેગા ડિમોલીશન
May 31, 2025 12:03 PMમારી 25 વર્ષની તપસ્યાનું આ ફળ છે: મમતા કુલકર્ણી
May 31, 2025 11:57 AMરાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ જામનગર દ્વારા શતાબ્દી વર્ષને અનુલક્ષીને પત્રકાર મિલન યોજાયું
May 31, 2025 11:56 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech