જામનગરમાં વકરતો કોરોના, સોશ્યલ ડીસ્ટન્સમાં સ્વયંશિસ્ત જરૂરી

  • June 10, 2025 12:31 PM 


જામનગરમાં કોરોના વકરી રહ્યો છે ત્યારે સોશ્યલ ડીસ્ટન્સમાં સ્વયં શિસ્ત જ‚રી બની છે, કારણ કે સરકારી કચેરીઓમાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, આવકના દાખલા, ક્રીમીલીયર પ્રમાણપત્ર સહિતની કામગીરી માટે લોકોની ભીડથી સંક્રમણ વધવાની ભીતિ ઉભી થઇ છે. બીજી બાજુ જી.જી. હોસ્પિટલમાં પણ દર્દીઓની કતારોને કારણે કોરોનાનો ચેપ ઝડપથી ફેલાવાની  ગંભીર સ્થિતિ પ્રવર્તી રહી છે: આથી વહીવટી તંત્રએ તાકીદના પગલા લેવાએ સમયની માંગ બની છે. સાથે સાથે લોકોએ પણ તકેદારી રાખી અનિવાર્ય બની છે.


જામનગર શહેરમાં કોરોનાનો પ્રકોપ દિન-પ્રતિદિન વધી રહ્યો છે. સોમવારે એક જ દિવસમાં પુન: ૧૧ પોઝીટીવ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં શહેરમાં કોરોનાના ૮૦ પોઝીટીવ કેસ નોંધાઇ ચૂક્યા છે. જેમાંથી પપ એકટીવ કેસ છે. આ સ્થિતિમાં જામનગર શહેરની સરકારી કચેરીઓમાં સોશ્યલ ડીસ્ટન્સ કે જે કોરોનાનું સંક્રમણ અટકાવવામાં ખૂબ જ મહત્વનું પરિબળ છે. તેના અમલીકરણમાં ઘોર બેદરકારી જોવા મળી રહી છે. કારણ કે જામનગરની સરકારી કચેરીઓમાં કે જ્યાં રાશન કાર્ડ, આધાર કાર્ડ, આવકના દાખલા, ક્રીમીલીયર પ્રમાણપત્ર સહિતની મહત્વની કામગીરી થઇ રહી છે. ત્યાં લોકોની ભારે ભીડ જોવા મળી રહી છે.


આટલું જ નહીં આ કચેરીઓમાં આ કામગીરી દરમ્યાન સોશ્યલ ડીસ્ટન્સના નિયમનું કોઇ જ પાલન કરવામાં આવતું નથી. આથી કોરોનાનું સંક્રમણ વધવાની ભીતિ નકારી શકાતી નથી. બીજી બાજુ સૌરાષ્ટ્રની સૌથી મોટી જામનગરની જી.જી. હોસ્પિટલમાં પણ દર્દીઓની લાંબી લાંબી કતારો જોવા મળી રહી છે. ત્યારે આ સ્થળે પણ સોશ્યલ ડીસ્ટન્સના પાલનમાં બેદરકારી જોવા મળી રહી છે. કોરોનાએ અત્યંત ચેપી રોગ છે. આ રોગના નિયંત્રણમાં સોશ્યલ ડીસ્ટન્સ ખૂબ જ જરૂરી છે.


આથી કોરોના શહેરમાં વકરી રહ્યો છે ત્યારે સરકારી કચેરીઓ અને જી.જી. હોસ્પિટલમાં આવતા લોકોએ સ્વયંશિસ્ત જાળવી સોશ્યલ ડીસ્ટન્સના નિયમનું પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. બીજી બાજુ જિલ્લા વહીવટી તંત્રએ પણ કોરોનાના વધતા વ્યાપની ગંભીરતાથી ઘ્યાને લઇ સરકારી કચેરીઓ અને હોસ્પિટલોમાં સોશ્યલ ડીસ્ટન્સનું પાલન થાય તે માટે તકેદારીના પગલા લેવા અનિવાર્ય બન્યા છે.


જો કોરોના વધુ વકરશે તો અગાઉના દિવસોની જેમ સોશ્યલ ડીસ્ટન્સ સહિતના નિયમો વધુ કડક બનશે તેમાં બે મત નથી. આથી કોરોનાનો વ્યાપ વધતો અટકાવવા માટે શહેરીજનોએ સ્વયં શિસ્ત સાથે સોશ્યલ ડીસ્ટન્સનું પાલન કરવું ખૂબ જ જરૂરી બન્યું છે. આટલું જ નહીં કોરોનાનો ફેલાવો અટકાવવા માટે ભીડભાડવાળી જગ્યાએ પણ જવાનું ટાળવું એ પણ આજના સમયની માંગ બની છે. 



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application