શહેરમાં સતત ત્રીજા દિવસે કોરોના સક્રિય : વિદ્યાનગરના વૃદ્ધ થયા સંક્રમિત

  • May 31, 2025 04:03 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)


  શહેરમાં સતત ત્રીજા દિવસે કોરોના સક્રિય રહ્યો છે.વિદ્યાનગરના વૃદ્ધ કોરોનાથી સંક્રમિત થયા છે. શહેરમાં  કોરોના વાયરસનો વધુ એક કેસ નોંધાતાં એક તરફ લોકોની ચિંતા વધી છે. જ્યારે બીજી તરફ આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.
  ભાવનગર શહેરમાં શુક્રવારે  કોરોનાના વધુ એક પોઝિટિવ કેસની નોંધાયો છે.શહેરના વિદ્યાનગર વિસ્તારમાં રહેતા એક ૭૩ વર્ષના વૃદ્ધની તબીયત બગડતા તેઓને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને તેઓને કોરોનાના લક્ષણો હોવાથી ત્યાં તેમનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો. દર્દીનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો  હતો પરંતુ તેની તબીયત સારી હોવાથી હાલ તેમના ઘરે સારવાર હેઠળ રાખવામાં આવેલ છે તેમ મહાપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
  અત્રે એ નોંધનીય છે કે, શહેર અને જિલ્લામાં છેલ્લા ૮ દિવસમાં કોરોનાના કુલ ૯ કેસ નોંધાયા છે, જેમાં શહેરમાં કોરોનાના ૮ કેસનો સમાવેશ થાય છે. જ્યારે ૧ ગ્રામ્ય વિસ્તારનો કેસ છે.
  શહેરમાં કોરોનાના તમામ દર્દી એક દર્દી કોરોના મુક્ત થયો છે. કોરોના વાયરસના કેસ વધતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. કોરોનાના કેસ વધતા લોકોએ સાવચેત રહેવુ જરૂરી છે તેમ આરોગ્ય વિભાગના સૂત્રોએ જણાવ્યું છે.આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું છે.




લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application