જામનગરમાં નાગનાથ ગેઇટ સર્કલ નજીક એક હોટલ પાસેવવાહન પાર્ક કરવાના મુદ્દે તકરાર થઈ હતી, અને વાહન ચાલક સાળા-બનેવી પર છરી-ધોકા વડે હુમલો કરાયો છે. જે હુમલો કરવા અંગે ત્રણ શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે, જ્યારે સાળા-બનેવીને જામનગરની જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે.
આ મારામારીના બનાવની વિગત એવી છે કે જામનગરમાં નાગનાથ ગેઇટ વિસ્તારમાં અંબાજીના ચોકમાં રહેતા કૃષ્ણ રજનીકાંત દાઉદીયા નામના ૩૪ વર્ષના યુવાને પોતાના ઉપર તેમજ પોતાને બચાવવા માટે આવેલા પોતાના બનેવી મિતેશ ચુડાસમા ઉપર છરી અને ધોકા વડે હુમલો કરી ગંભીર ઇજા પહોચાડવા અંગે તેજ વિસ્તારમાં આવેલી એક હોટલમાં કામ કરતા મોઈન સચડા અને તેના બે અજાણ્યા સાગરીતો સામે ફરિયાદ નોંધાવી છે. ઉપરાંત સાળા બનેવીને ઈજા થઈ હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે.
ફરિયાદી કૃષ્ણ દાઉદીયા કે જેણે પોતાની ટાવેરા કાર નાગનાથ સર્કલ પાસે એક હોટલ નજીક પાર્ક કરી હતી, જે વાહન પાર્ક કરવાના મુદ્દે હોટલમાં કામ કરતા મોઈન સચડા સાથે બાબાલ થઈ હતી, અને કાર ચાલક અને તેને અને બચાવવા માટે આવેલા તેના બનેવી બંને પર હુમલો કરી દીધો હતો. જે બનાવ અંગે પોલિસે ત્રણેય હુમલા ખોરો સામે જુદી જુદી કલમ હેઠળ ગુન્હો નોંધ્યો છે, અને ત્રણેય હુમલાખોરો ભાગી છૂટયા હોવાથી તેઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationઅમેરિકાનો ચીન પર ટેરિફનો સપાટો: 104% ટેરિફ લાગુ, વૈશ્વિક વેપાર યુદ્ધની આશંકા
April 08, 2025 10:40 PMબાંગ્લાદેશીઓ સાઉદી અરેબિયા પહોંચ્યા પરંતુ નહીં કરી શકે હજ, યુનુસની પ્રજા સાથે થયો અલગ જ ખેલ
April 08, 2025 10:31 PMSBIએ ATM વિડ્રોલના નિયમો બદલ્યા, હવે વધુ ટ્રાન્ઝેક્શન પર ચૂકવવા પડશે આટલા રૂપિયા
April 08, 2025 10:30 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech