દ્વારકા પીઠાધિશ્વર શંકરાચાર્ય સદાનંદ સરસ્વતીજી મહારાજના માર્ગદર્શન હેઠળ કાર્યક્રમ યોજાયો
જામનગર નજીક દરેડ ખાતે આવેલ તક્ષશિલા સંકૂલ ખાતે બ્રાહ્મણોના આરાધ્ય દેવ ભગવાન શ્રી પરશુરામજીનું વિરાટ, ભવ્ય અને દિવ્ય મંદિરનું નિર્માણકાર્ય દ્વારકા પીઠાધિશ્વર શંકરાચાર્ય શ્રી સદાનંદ સરસ્વતીજી મહારાજના શુભ આશિષ અને માર્ગદર્શન હેઠળ પ્રારંભ કરવામાં આવેલ છે. આ મંદિરની ભવ્યતા અને દિવ્યતા માટે પરશુરામ પ્રભુની જન્મભૂમિ જાનાપાઉં (મધ્ય પ્રદેશ)થી તેમની જન્મભૂમિની માટી (રજ કુંભ) એકત્રિત કરવા યુવા કથાકાર શાસ્ત્રી વિરલભાઈ નાકર, જયેશભાઈ ગોપીયાણી સહિતની ટીમ ગયેલ અને ત્યાંથી રજકુંભ લાવવામાં આવેલ જે કુંભનું સ્વાગત કુમારીકાઓ દ્વારા પંચેશ્વર ટાવર ખાતે કરવામાં આવેલ ત્યાર બાદ આ કુંભનું સ્થાપન અને પરશુરામ દાદાની આરતી "મકર સંક્રાંતિ * ના પવિત્ર દિવસે કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં તક્ષશિલા પરિવાર પરશુરામ ધામના આગેવાનો સહિત ભૂદેવોએ હાજર રહી, કળશ પૂજન તેમજ આરતીનો લાભ લીધો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech