પોતાનું ઘર બનાવવા માટે પઝેશનની રાહ જોઈ રહ્યા છે તેવા લોકોને પણ બજેટમાં રાહત આપવામાં આવી છે. નાણાંમંત્રીએ બજેટમાં જાહેરાત કરી હતી કે, 40 હજાર અટકેલા અને અધૂરા મકાનો પૂર્ણ કરવામાં આવશે. આ યોજનાના પહેલાં તબક્કામાં અત્યારસુધીમાં 50 હજાર ઘર પૂર્ણ થઈ ગયા છે અને ઘર ખરીદનારને તેની ચાવી આપવામાં આવશે. આ પ્રોજેક્ટને સરકાર દ્વારા બનાવવામાં આવેલાં સ્વામિહ ફંડમાંથી તૈયાર કરવામાં આવ્યો છે.
સ્વામિહ ફંડ એક સરકારી પહેલ છે, જેનો હેતુ રિયલ એસ્ટેટ સેક્ટરમાં ફસાયેલા હાઉસિંગ પ્રોજેક્ટને નાણાંકીય સહાય આપવાનો છે. ઘણાં એવા પ્રોજેક્ટ છે, જે કાયદાકીય અડચણ, નાણાંકીય સંકટ અથવા અન્ય કારણોથી અધૂરા રહી ગયા છે. આ ફંડ એવા પ્રોજેક્ટને પુનર્જીવિત કરશે અને ઘર ખરીદનારાઓને રાહત પ્રદાન કરશે.
સ્વામિહ ફંડ હેઠળ અટકેલાં હાઉસિંગ પ્રોજેક્ટને નાણાંકીય મદદ, મધ્યમ અને ઓછી આવક ધરાવતા જૂથોને પોસાય તેવા ઘરો પૂરા પાડવામાં આવશે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં તરલતા વધારવામાં આવશે. નિર્માણ ક્ષેત્રમાં રોજગારની તક વધારવામાં આવશે.
બજેટમાં કરવામાં આવેલી જાહેરાત મુજબ, જે લોકો વર્ષોથી પોતાનું ઘર ખરીદવાની રાહ જોઈ રહ્યાં હતાં, તેઓને જલ્દી પઝેશન મળી શકશે. રિયલ એસ્ટેટ સેક્ટરમાં રોકાણમાં વધારો થશે. બજારમાં ફસાયેલા પૈસાને ગતિ મળશે, જેનાથી નવા પ્રોજેક્ટ પણ શરૂ થઈ શકશે. અર્થવ્યવસ્થામાં વધારો થશે. હાઉસિંગ સેક્ટરમાં સુધારા સાથે જોડાયેલાં ઉદ્યોગો (સિમેન્ટ, સ્ટીલ, કન્સ્ટ્રક્શન)ને પણ ફાયદો થશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationUPI પેમેન્ટ કરનારાઓને થશે ફાયદો, ₹100ની વસ્તુ ₹98માં મળશે, જાણો કેવી રીતે?
May 19, 2025 09:14 PMતુર્કી પછી ચીનને મળ્યો મોટો ફટકો, ભારતમાં આ દિગ્ગજ કંપનીની કમાણી થઈ અડધી
May 19, 2025 08:40 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech