કલ્યાણપુર તાલુકાના ટંકારીયા ગામે હાલ રહેતી અને નાથાભાઈ પરમારની 33 વર્ષની પરિણીત પુત્રી કુંવરબેન વિક્રમભાઈ મકવાણાને તેણીના લગ્નજીવન દરમિયાન તેણીના પતિ વિક્રમ ગોવિંદભાઈ, સાસુ લક્ષ્મીબેન, નણંદ હંસાબેન બાબુભાઈ ચૌહાણ અને જેઠ મનસુખભાઈ ગોવિંદભાઈ મકવાણા દ્વારા શારીરિક તથા માનસિક ત્રાસ આપી અને મારકૂટ કરવા સબબ કલ્યાણપુર પોલીસ મથકમાં સ્ત્રી અત્યાચારની જુદી જુદી કલમ હેઠળ ગુનો નોંધાયો છે.
સલાયા, ઓખામાં ચાર માછીમારો સામે કાર્યવાહી
ખંભાળિયા તાલુકાના સલાયા ગામે આવેલા બંદર વિસ્તારમાં હોકાયંત્ર કે હવામાન આગાહી સંબંધી ટ્રાન્ઝિસ્ટર રેડિયો કે આ પ્રકારના સાધનો ન રાખી અને માછીમારી કરવા સબબ હુસેન કાસમ સંઘાર (ઉ.વ. 43) અને સલીમ કાદર સંઘાર (ઉ.વ. 42) નામના બે માછીમારો સામે મરીન પોલીસે ગુનો નોંધ્યો છે. જ્યારે ઓખાના પેસેન્જર જેટીમાંથી માછીમારી કરવા ગયેલા અસલમ નૂરમામદ સંઘાર (ઉ.વ. 28) દ્વારા ટોકનમાં દર્શાવ્યા કરતા એક માણસ ઓછો લઈ જવા સબબ તેમજ સોહેલ હારુન સપ દ્વારા ટોકન વગર માછીમારી કરવા જતા પોલીસે ઝડપી લઇ, ફિશરીઝ એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગૌતમ અદાણીની આ કંપની જબરદસ્ત વળતર આપી શકે છે, નફા અને આવકની દ્રષ્ટિએ સૌથી આગળ
April 20, 2025 06:02 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech