એસ. ટી. બસ ઉભી રાખવાના મામલે એસટી ડ્રાઈવર પર હુમલો કરી ફરજમાં રુકાવટ કર્યાની પોલીસ ફરિયાદ
જામનગર-સોમનાથ રૂટની એસટી બસમાં મુસાફરી કરી રહેલા જૂનાગઢના એક મુસાફરે કાલાવડ નજીક ખંઢેરા ગામની ગોલાઈ પાસે એસ.ટી. બસ ઊભી રખાવવાના પ્રશ્ને હંગામા મચાવ્યો હતો, અને એસ.ટી. ડ્રાઇવર પર હુમલો કરી દઈ તેની ફરજ માં રૂકાવટ કર્યા ની ફરિયાદ પોલીસમાં નોંધાવાતાં ચકચાર જાગી છે.
આ બનાવ ની વિગત એવી છે કે કાલાવડ માં શીતલા કોલોની માં રહેતા અને એસ.ટી. ડિવિઝનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતા અનિરુદ્ધસિંહ કનુભા વાઢેર નામના ૫૬ વર્ષના એસ.ટી. ડ્રાઇવર ગઈકાલે જામનગર-સોમનાથ રૂટની જી.જે.૧૮-ઝેડ.ટી. ૦૭૮૪ નંબરની એસટી બસ લઈને જુનાગઢ તરફ જઈ રહ્યા હતા.
જે દરમિયાન બસની અંદર મુસાફરી કરી રહેલા જુનાગઢ ના વતની દિલીપસિંહ સીસોદીયા નામના મુસાફરે કાલાવડ નજીક ખંઢેરા ગામની ગોલાઈ પાસે જાજરૂ જવા માટે એસટી બસને ઉભી રખાવવાનો ડ્રાઇવર પાસે આગ્રહ રાખ્યો હતો.
દરમિયાન ડ્રાઇવર અનિરુદ્ધ સિંહ વાઢેરે ગોલાઈ પછી બસને રાખવાનું કહ્યું હતું, દરમિયાન આરોપી મુસાફર દિલીપ સિંહ ઉશ્કેરાઈ ગયો હતો, અને એસ.ટી. ડ્રાઇવર સાથે અણછાજતું વર્તન કરી જપાજપી કરી હતી, અને તેના શર્ટનો કાંઠાલો પકડી જાનથી મારી નાખવાની ધમકી આપી ફરજમાં રૂકાવટ ઉભી કરી હતી, અને બસ ઉભી રખાવવાનો આગ્રહ કર્યો હતો.
આખરે આ મામલો કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકમાં લઈ જવાયો હતો, અને એસ.ટી. ડ્રાઇવર અનિરુદ્ધ સિંહ વાઢેર દ્વારા ફરજમાં રુકાવટ સહિત ની ફરિયાદ નોંધાવતાં કાલાવડ ગ્રામ્ય પોલીસે મુસાફર સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદ્વારકામાં શોકનો માહોલ, સ્નાન કરતી વખતે પાટણના મામા-ભાણેજ ગોમતી નદીમાં ગરકાવ, એકનો બચાવ
May 21, 2025 10:14 PMજામનગરમાં ACBની મોટી કાર્યવાહી: બે પોલીસકર્મી ₹8,000ની લાંચ લેતા ઝડપાયા
May 21, 2025 10:06 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech