દેવભૂમિ દ્વારકા જિલ્લાને કુપોષણ મુક્ત, સ્વસ્થ અને સશક્ત બનાવવા કલેકટર શ્રી રાજેશ તન્ના સહિતના અધિકારીશ્રીઓ થયા સંકલ્પબધ્ધ

  • April 18, 2025 11:14 AM 

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પોષણ પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે. જે કાર્યક્રમ ૨૨ એપ્રિલ ૨૦૨૫ સુધી ચાલશે. જેના ભાગરૂપે જિલ્લા કલેક્ટર રાજેશ તન્નાનાં અધ્યક્ષસ્થાને આજરોજ   "પોષણ શપથ" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. 

ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ૦૮ માર્ચ ૨૦૧૮ના રોજ પોષણ અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી. મહિલા અને બાળ વિકાસ મંત્રાલય દર વર્ષે માર્ચ-એપ્રિલ માસમાં પોષણ પખવાડિયાની ઉજવણી કરે છે. બેઠકમાં સૌએ પોષણ પખવાડિયા અંગેના શપથ લીધા હતા.

પોષણ પખવાડા- ૨૦૨૫માં જીવનના પ્રથમ ૧૦૦૦ દિવસો પર વિશેષ ધ્યાન આપવામાં આવશે. ઉપરાંત બાળ તુલા,  ગૃહ મુલાકાત, મમતા દિવસ, સ્વચ્છતા જાગૃતિ, મેદસ્વિતા અંગે જાગૃતિ, વૃક્ષારોપણ, મિલેટ અંગે જાણકારી વાનગી નિદર્શન આ ઉપરાંત પોષ્ટિક આહાર, તંદુરસ્ત આહાર પ્રથાઓ, વરસાદી પાણી સંગ્રહ  વગેરે અંગે સેશન યોજાશે. 

આ તકે નિવાસી અધિક કલેકટર ભૂપેશ જોટાણીયા,  મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.ચોબીસા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પૃથ્વીરાજસિંહ ગોહિલ, પ્રોગ્રામ ઓફિસર ડૉ.ચંદ્રેશ ભાંભી તથા જિલ્લા કક્ષાના અધિકારીઓ પોષણ પખવાડાના શપથ ગ્રહણ કર્યા હતા.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application