જામનગરમાં 30 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા ટાઢોડું: તાપમાન 12 ડીગ્રી

  • February 06, 2025 12:18 PM 
Aajkaal Daily (Desh Pardesh Ni Aajkaal)

આવતીકાલથી ઠંડીમાં ઘટાડો થશે તેવી હવામાન ખાતાની આગાહી: સૌરાષ્ટ્રમાં માવઠાનો ભય ટળ્યો હોવાથી ખેડુતોને રાહત


જામનગર સહિત સમગ્ર હાલારમાં બે દિવસથી ફરીથી ટાઢોડુ થયું છે, 30 કિ.મી.ની ઝડપે ઠંડો પવન ફુંકાતા જનજીવન ઉપર ભારે અસર થઇ છે, એટલું જ નહીં ઓચીંતી ઠંડી વધવાથી લોકો પરેશાન થયા છે, આવતીકાલથી ઠંડીમાં રાહત થશે તેવી હવામાન ખાતાએ આગાહી કરી છે, જયારે સૌરાષ્ટ્રમાં માવઠુ થવાનો જે ભય હતો તે ટળી ગયો છે, જેથી ખેડુતોમાં ખુશીનો માહોલ છવાયો છે.


કલેકટર કચેરીના ક્ધટ્રોલ મના જણાવ્‌યા મુજબ લઘુતમ તાપમાન 12 ડીગ્રી, મહત્તમ તાપમાન 27 ડીગ્રી, હવામાં ભેજ 50 ટકા, પવનની ગતિ 25 થી 30 કિ.મી.પ્રતિકલાક રહી હતી. વેર્સ્ટન ડીસ્ટબન્સ થવાનું હતું તે ન થયું, હવે ઠંડીમાં ત્રણેક ડીગ્રીનો વધારો થયો, પરંતુ માવઠુ ન થવાને કારણે ખેડુતોને થતી આર્થિક નુકશાની બચી ગઇ હતી.


ગઇકાલ સાંજથી કાલાવડ, ખંભાળીયા, જામજોધપુર, ધ્રોલ, જોડીયા, લાલપુર, ભાણવડ જેવા તાલુકા મથકોએ પણ ઠંડીનું જોર વધી રહ્યું છે,  જો કે આ વખતે ઠંડી એક મહીનો મોડી શ થઇ છે પણ હકીકત છે, પરંતુ ત્રણ દિવસ સુધીમાં ગમે ત્યારે માવઠુ થવાની આગાહીથી લોકો પણ ચીંતામાં મુકાયા છે, જો કે આગામી દિવસોમાં ચણા અને ઘઉંનું વિક્રમજનક ઉત્પાદન થાય તેવી પણ શકયતા છે, સાથે-સાથે જી, લસણ, ડુંગળી અને મકાઇના પાકનું પણ સા એવું ઉત્પાદન થશે.


આજે સવારે પણ ઠંડીનો માહોલ યથાવત રહ્યો હતો, ગઇકાલ કરતા ઠંડી થોડી ઓછી થઇ હતી, પરંતુ પવનની ઝડપ વધી હોવાના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી, છેલ્લા બે દિવસથી બજારોમાં પણ રાત્રે ઓછા લોકો જોવા મળે છે, એવી જ રીતે ગામડાઓમાં પણ બજારો વહેલી બંધ થઇ જાય છે, સવાર-સાંજ એસ.ટી. અને ખાનગી ટ્રાવેલ્સના મુસાફરોની સંખ્યા ઘટી ગઇ છે.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY


ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY


સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY


મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં  99251 12230  

View News On Application