કાશ્મીર ફરવા જનારા લોકો માટે સારા સમાચાર છે. રેલવે નવી દિલ્હીથી કાશ્મીર સુધી પાંચ ટ્રેન દોડાવવાની તૈયારી કરી રહ્યું છે. તે કાશ્મીરને દેશના અન્ય ભાગો સાથે જોડશે. રેલવે અધિકારીઓના જણાવ્યા અનુસાર આ ટ્રેનો આવતા વર્ષના પહેલા મહિનામાં શ થઈ શકે છે. આનાથી કાશ્મીરને દિલ્હી સાથે સીધું જોડવાની લગભગ ત્રણ દાયકાની રાહનો અતં આવશે.
એક અધિકારીએ જણાવ્યું કે આ સ્લીપર એસી ટ્રેનોના કોચ હિટિંગ સુવિધાઓથી સ કરવામાં આવશે. આનો અર્થ એ થયો કે કાશ્મીરની ઠંડી ખીણોમાં મુસાફરી કરતી વખતે મુસાફરોને કોઈ સમસ્યાનો સામનો કરવો નહીં પડે. કોચના વ્હીલ્સ અને એન્જિનના આગળના કાચને બરફના સંચયથી બચાવવા માટે ડિઝાઇન કરવામાં આવ્યા છે. શૂન્ય ડિગ્રીથી નીચેના તાપમાનમાં બરફના સંચયને ડિફ્રોસ્ટ કરવાની સુવિધા પણ હશે. દરેક ટ્રેનમાં ૨૨ કોચ હશે. પાંચેય ટ્રેનોના રેકનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે.
રેલવે અધિકારીએ કહ્યું કે આ ટ્રેનોની સુરક્ષા પર ખાસ ભાર મૂકવામાં આવશે. પ્લેટફોર્મ છોડતા પહેલા કોચને સેનિટાઈઝ કરવામાં આવશે. શ્રીનગર જતા મુસાફરોને એરપોર્ટ જેવી સુરક્ષા તપાસમાંથી પસાર થવાનું રહેશે. ટ્રેનોના સંચાલનને રેલવે સેટી કમિશનની મંજૂરી મળવાની બાકી છે. હાલમાં ૨૭૨ કિલોમીટર લાંબા ઉધમપુર–શ્રીનગર–બારામુલ્લા રેલ લિંક પ્રોજેકટના કટરાથી રિયાસી સેકશન પર કામ ચાલી રહ્યું છે.
ઉધમપુર–શ્રીનગર–બારામુલા લાઇન ખોલવાની સાથે સરકાર કાશ્મીરથી કન્યાકુમારી સુધી ટ્રેનો દોડાવવાનું પણ લય ધરાવે છે. રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવએ તાજેતરમાં લોકસભામાં કહ્યું હતું કે કાશ્મીરને કન્યાકુમારીથી જોડતો પ્રોજેકટ તૈયાર છે. આગામી ચાર મહિનામાં આ ટ પર ટ્રેનો દોડવા લાગશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationદેવભૂમિ દ્વારકા જિલ્લા આરોગ્ય તંત્ર કોવિડની બીમારી સામે સજ્જ
May 23, 2025 05:17 PMજામનગરમા વાવાઝોડાની શક્યતાના પગલે જિલ્લા વહીવટી તંત્ર એલર્ટ
May 23, 2025 05:13 PMજામનગરમાં મહિલા પર દુષ્કર્મનું ‘ઝાડું’ ફેરવનાર 'આપ'નો કાર્યકર જેલભેગો, DySp એ વિગતો આપી
May 23, 2025 05:01 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech