જામનગરમાં હજુ પાંચ દિવસ વાદળછાયું વાતાવરણ અને વરસાદના હળવા ઝાપટાની આગાહી જુનાગઢ કૃષિ યુનિર્વસિટી દ્વારા કરવામાં આવી છે. આ સમયગાળામાં મહત્તમ તાપમાન ૩૪ થી ૩૬ ડીગ્રી રહેશે. આથી આકરા તાપની શક્યતા છે. પવનની ગતિ ૧૩ થી ર૦ પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. ભેજના કારણે બફારાનું જોર પણ રહેશે.
રાજ્યમાં સંભવિત વાવાઝોડાના પગલે જામનગરના વાતાવરણમાં પણ પલ્ટો જોવા મળ્યો હતો, છેલ્લા બે-ત્રણ દિવસથી આકાશમાં વાદળોનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે, ત્યારે જામનગર શહેર-જિલ્લાના તા. ર૮ મે થી ૧ જુન સુધી ભેજવાળું અને વાદળછાયું હવામાન રહેવાની આગાહી જુનાગઢ કૃષિ યુનિ. દ્વારા કરવામાં આવી છે.
આટલું જ નહીં આ સમયગાળામાં શહેર-જિલ્લાના અમુક વિસ્તારોમાં છુટાછવાયા વરસાદના હળવા ઝાપટા પડવાની શક્યતા પણ છે. મહત્તમ તાપમાન ૩૪ થી ૩૬ ડીગ્રી વચ્ચે અને લઘુતમ તાપમાન ર૮ થી ર૯ ડીગ્રી વચ્ચે રહેશે. જ્યારે ભેજનું પ્રમાણ ૭પ થી ૮પ ટકા વચ્ચે રહેવાની શકયતા છે. આથી બફારાનું જોર યથાવત રહેશે. પવનની ગતિ ૧૩ થી ર૦ કીમી પ્રતિ કલાક રહેશે.
હળવા વરસાદની આગાહી હોય, આગામી ખરીદ પાકના વળતર માટે જરૂરી આયોજન કરવા તથા ચોમાસુ પાકના વાવેતર માટે જમીન ખેડીને તૈયાર કરવા ખેડૂતોને અનુરોધ કરાયો છે. તદ્દઉપરાંત ખેતરના સેઢા, પાળા અને વરસાદી પાણીના નિકાલના કાઢીયાની મરામત કરવી જેથી જમીનનું ધોવાણ અટકાવી શકાય. કમોસમી વરસાદની આગાહી હોવાથી તૈયાર ખેત પાક અને પશુઓનો ચારો અને દાણ સલામત જગ્યાએ રાખવો. હવામાન ખુલ્લું થયે ઉનાળુ મગફળી ઉપાડવા ખેડૂતોને અનુરોધ કરાયો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Application