ભાવનગર શહેર અને જિલ્લામાં બુધવારે કેટલાક સ્થળોએ ભારે વરસાદની આગાહી હતી ત્યારે તળાજામાં સતત બીજા દિવસે મેઘમહેર થતાં અર્ધો ઇંચથી વધુ વરસાદ વરસી ગયો હતો. જ્યારે ઉમરાળામાં અડધા ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો. ભાવનગર, વલભીપુર અને ઘોઘામાં ઝાપટા પડ્યા હતા.
તળાજામાં બુધવારે સવારે વાદળ છાયા વાતાવરણની વચ્ચે થોડા થોડા સમયે સૂર્યનારાયણનો પ્રકાશ રહયા બાદ ફરી વરસાદનો સિલસિલો શરૂ થયો હતો. બપોર - બાદ કડાકા ભડાકા સાથે મેઘરાજાની પધરામણી થતા વારંવાર ધોધમાર વરસાદથી સતત બીજા દિવસે મેઘમહેર થતાં અર્ધો ઇંચથી વધુ પાણી પડી ગયું અને ત્યારબાદ મોડી સાંજ સુધી ઝરમર વરસાદ શરૂ રહ્યો હતો. તળાજામાં આ વરસાદથી સિઝનનો કુલ વરસાદ ૫૩૧ મી.મી. એટલ કે ૨૧ ઈંચથી વધુ થયો છે.
ભાવનગર શહેરમાં પણ ગઈ કાલની જેમ આજે બપોરના સમયે એક જોરદાર ઝાપટું વરસી ગયુ હતુ. શહેરમાં ૩ મી.મી. વરસાદ નોંધાતા આ ચોમાસામાં કુલ વરસાદ ૫૨૬ મી.મી. એટલે કે ૨૧ ઈંચ થયો છે. વલભીપુરમાં ૨ મી.મી. અને ઘોઘામાં ૧ મી.મી. વરસાદ નોંધાયો હતો. ભાવનગર જિલ્લામાં આગામી ચાર દિવસ દરમિયાન હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: દૈનિક કેસ 200ને પાર, એક્ટિવ કેસ 1100 થી વધુ
June 09, 2025 09:10 PMLC મેળવતા પહેલાં વિદ્યાર્થીઓ અને વાલીઓ આ જાણો! જૂન 2025થી અટક પાછળ લખવી પડશે...
June 09, 2025 08:18 PMધુમાડાના ગોટેગોટા! રાજુલામાં ડાયપર કારખાનામાં લાગી ભીષણ આગ, ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે
June 09, 2025 07:58 PM5 ગુનેગાર… 3 રાજ્યોની પોલીસ અને 3 નિવેદનો: કેવી રીતે ગુંચવાઈ રાજા રઘુવંશીના મર્ડરની કહાની?
June 09, 2025 07:52 PMછત્તીસગઢમાં નક્સલીઓએ IED બ્લાસ્ટ કર્યો, એએસપી શહીદ, જવાનો ઘાયલ
June 09, 2025 05:58 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech