જામનગર એસટી વિભાગના તમામ ડેપો તેમજ કંટ્રોલ પોઇન્ટ પર સાફ સફાઈ અભિયાન ચીફ મેનેજર ઓડિટ મોનીટરીંગ અને તાલીમ સેન્ટ્રલ ઓફિસની સૂચના મુજબ તા.22/06/2024 થી બસોની સફાઈ તેમજ બસ સ્ટેશન અને તેમાં રહેલ સૌચાલયની સફાઈ અને ડેપોમાં આવેલ પીવાના પાણીની ટાંકીની સફાઈની કામગીરી ચાલુ કરવામાં આવેલ છે. જેમાં વિભાગના વિભાગીય નિયામક બી સી જાડેજાના માર્ગદર્શન હેઠળ જામનગર લાઈન ચેકિંગ ટીમ દ્વારા તેમજ મિકેનિક ગેંગ દ્વારા જામનગર વિભાગના તેમજ અન્ય વિભાગના વાહનોની ચકાસણી કરવામાં આવેલ છે. જેમાં એલસી ટીમ દ્વારા કુલ 395 વાહનો તેમજ મિકેનિક ગેંગ દ્વારા 460 વાહનો તારીખ 27/06/ 2024 સુધીમાં કરવામાં આવેલ છે. તેમજ આ અંગે જોવા મળેલ અનિયમિતતા સબબ ત્વરિત સુધારાત્મક પગલાં લેવામાં આવેલ છે. આમ એસ ટી જામનગર વિભાગ દ્વારા જનતાને પીવાનું પાણી સુધ મળે તે માટે સરાહનીય કામગીરી કરવામાં આવેલ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech