સદરહું દાવામાં પ્રતિવાદીઓ નં.૩ થી ૧૦ તરફે એડવોકેટ દિપક સી. વ્યાસે પ્રતિવાદીનાં દાવાનો જવાબ રજુ કરેલ અને એવી તકરાર લેવામાં આવેલ કે વાદી નં. ર સુરેશ સેજપાલ પર્સનલ કેપેસિટીમાં છે તેમજ વાદી નં.૧ ટ્રસ્ટમાં ટ્રસ્ટી છે. તેમજ વાદી નં. ર દ્વારા રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં બાંધકામ પ્લાન મંજૂર કરાવેલ છે. તેમજ અવેજ પણ સ્વીકારેલ છે. અને પ્રતિવાદીઓ જગ્યાનાં અલગ-અલગ મકાનમાં વસવાટ કરે છે. ત્યાં ઈલેકટ્રીક કનેક્શન, રોડ રસ્તા, પાણી વગેરે સગવડો આવેલ છે. ત્યારબાદ દાવો દલીલનાં સ્ટેજે આવતાં પ્રતિવાદીઓ નં.૩ થી ૧૨ તરફે વકીલ દ્વારા દલીલો કરવામાં આવેલ કે વાદી દ્વારા ખોટું, બોગસ ટ્રસ્ટ ઉભું કરવામાં આવેલ છે. તેમજ વાદીએ સત્ય હકકીતો છુપાવેલ છે. ચેરીટી કમિશનરમાં ટ્રસ્ટમાં તે મિલ્કતની નોંધ કરાવેલ નથી. વિગેરે લંબાણપૂર્વકની દલીલ તેમજ કાયદાની દલીલો સિવિલ કોર્ટે માન્ય રાખી પ્રતિવાદીઓ બોનાફાઈડ પરચેઝર હોય, વાદી ટ્રસ્ટ પોતાનો દાવો પુરવાર કરી શકેલ નથી અને ખોટો દાવો કરેલ હોવાનું ઠરાવી વાદીનો દાવો રદ કરેલ છે. આ કેસમાં પ્રતિવાદીઓ તરફે એડવોકેટ દિપક સી. વ્યાસ તથા નિકુંજ બી. ગણાત્રા રોકાયા હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજમ્મુ-કાશ્મીરમાં ફરી ડ્રોન હુમલા અને ગોળીબાર, પાકિસ્તાને ચાર કલાકમાં તોડ્યો યુદ્ધવિરામ
May 10, 2025 09:10 PMયુદ્ધવિરામ તૂટ્યો: અખનૂરમાં શાંતિના માત્ર 3 કલાક બાદ પાકિસ્તાનનું ફરી ફાયરિંગ
May 10, 2025 08:25 PMભારત-પાકિસ્તાન યુદ્ધવિરામ: પીએમ મોદીને મળવા પહોંચ્યા ત્રણેય સેનાધ્યક્ષ અને CDS
May 10, 2025 08:03 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech