મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલ શનિવારે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે. મુખ્યમંત્રીના કાર્યક્રમ સંદર્ભે જિલ્લા વહીવટી તંત્ર, મહાપાલિકા તેમજ પોલીસ તંત્ર દ્વારા સઘન તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. મુખ્યમંત્રીના હસ્તે આવતીકાલે વિવિધ વિકાસ કામોનું ખાતમુહર્ત તેમજ લોકાર્પણના કાર્યક્રમી યોજાશે.
લોકસભા ચૂંટણી પૂર્વે ભાવનગરમાં સરકારી યોજનાઓ હેઠળના કામો સહિત જિલ્લા વહીવટી તંત્ર અને મહાપાલિકા હસ્તકના વિકાસ કામોના ખાતમુહર્ત તેમજ લોકાર્પણ અર્થે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે શનિવારે ભાવનગર આવી રહ્યા છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર તેમજ મહાપાલિકા તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે.તો પોલીસ તંત્ર દ્વારા પણ મુખ્યમંત્રીના આગમન પૂર્વે સુરક્ષા સહિતના મુદ્દાઓ ચકાસવામાં આવી રહ્યા છે.
આવતીકાલે તા.૯ને શનિવારે રાજયના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ભાવનગરમાં કેટલાક લોકાર્પણ અને ખાતમુર્હૂતના કાર્યક્રમો માટે આવવાના છે. જેમાં મુખ્યમંત્રીના હસ્તે પોલીસ મહાનીરિક્ષકની કચેરીનું લોકાર્પણ થશે.યશવંતરાય નાટ્યગૃહ અને ગુલિશતા ગ્રાઉન્ડ ખાતે તેમના વિવિધ કાર્યક્રમો યોજાવાના છે ત્યારે વહીવટીતંત્ર દ્વારા સુરક્ષા, સફાઈ અને અન્ય બાબતે તડામાર તૈયારીઓ ચાલી રહી છે.સમગ્ર વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર ખડે પગે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech