પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલય ખાતે સર્વાઇકલ કેન્સર જાગૃતિ વિષયક વર્કશોપ યોજાયો હતો. પોરબંદરની જવાહર નવોદય વિદ્યાલય ખાતે સર્વાઇકલ કેન્સર જાગૃતિ માટેનો વર્કશોપ, વૃક્ષારોપણ અને કેરિયર કાઉન્સિલિંગ માટેના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ સંદર્ભે ભુતપુર્વ વિદ્યાર્થીઓ કે જે અલગ-અલગ પ્રોફેશનમાં હોય તેઓ દ્વારા બાળકોને એમના મનગમતા લક્ષ્યને પ્રાપ્ત કરવા માટેની માહિતી આપવામાં આવી અને કેરિયર પસંદગી બાબતે એમના જે પ્રશ્નો હતા એમના સમાધાન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.વૃક્ષારોપણ દરમિયાન વાવેલ વૃક્ષોને ફરતે ટ્રીગાર્ડ પણ લગાડવામાં આવેલ કે જેથી કોઈ પશુ વૃક્ષોને નુકસાન ન કરે અને વૃક્ષ યોગ્ય રીતે ઉછેર થઈ શકે અને આ સિવાય વૃક્ષોના મુળનો યોગ્ય વિકાસ થાય એ માટે કૃષિ વિશેષજ્ઞઓ દ્વારા એની યોગ્ય ટ્રીટમેન્ટ કરી અને વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ.સર્વાઇકલ કેન્સર જાગૃતિ અભિયાનમાં વિદ્યાર્થી બહેનોને માટે ડો.નિલેશ ગોરાણીયા અને ડો.કાનાભાઈ ઓડેદરા દ્વારા વિવિધ માહિતીઓથી અવગત કરવામાં આવ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On ApplicationCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech