એસોસિએશન દ્વારા કરાયું આયોજન
ફિઝીયોથેરાપી દિવસની ઉજવણી આઠ સપ્ટેમ્બરના રોજ કરવામાં આવે છે, જેના ભાગરૂપે જામનગર ફિઝીયોથેરાપી એસોસિએશન દ્વારા લોકોમાં ફિઝીયોથેરાપી સારવાર અંગે જાગૃતતા કેળવાય તે શુભ હેતુસર કરવામાં આવ્યું હતું.
ફિઝિયોથેરાપી સારવાર ઘણા બધા રોગોમાં ખૂબ જ અસરકારક નીવડે છે ,જેમ કે કમરનો દુખાવો , ગોઠણ ,ખભા તથા કોણી જેવા સાંધાઓના દુખાવા , રમતગમતમાં થતી ઇજાઓમાં, બાળકોના રૂંધાતા વિકાસમાં, તેમજ પેરાલીસીસ (લકવો) જેવી બીમારીઓ ફિઝિયોથેરાપી સારવાર ખૂબ જ અસરકારક નીવડે છે, આ અંગેની જાગૃતતા લોકોમાં ફેલાય એ જ જામનગર ફિઝિયોથેરાપી એસોસિયેશનનો મુખ્ય હેતુ છે.
જામનગર ફિઝિયોથેરાપી એસોસિયેશન લોકોને ફિઝિયોથેરાપી સાથે ભળતા નામની અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતાં નોન- મેડિકલ લોકોથી સાવધાન રહેવાનું જણાવે છે, અને લોકો ને રજીસ્ટર્ડ ફિઝિયોથેરાપિસ્ટ પાસેથી જ ફિઝિયોથેરાપી સારવાર લેવાનો આગ્રહ કરે છે.આ કાર્યક્રમમાં જામનગર ફિઝિયોથેરાપીસ્ટ એસોસિએશનના પ્રમુખ ડો.અબ્બાસઅલી સૈયદ,ઉપપ્રમુખ ડો.જય સાતા , સેક્રેટરી ડો.દિવ્યેશ રાઠોડ અને ખજાનચી ડો. શિવાની રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.આ મુજબ એસોસિએશનના પ્રમુખની યાદીમાં જણાવેલ છે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગર : નાધેડીના યુવાનનો અપહરણનો મામલો
May 20, 2025 11:59 AMદ્વારકાઃ ડૉ. આંબેડકર સફાઈ કામદાર આવાસ યોજનાનો લાભ લેવા ઇચ્છુકો માટે ઓનલાઇન અરજી
May 20, 2025 11:56 AMદ્વારકાના ખેડૂતોને સહાય માટેની અરજીઓના ડ્રો બાદ પૂર્વમંજુરી
May 20, 2025 11:53 AMદ્વારકા: બોર્ડમાં ઉતીર્ણ થયેલા સફાઈ કામદારો અને તેના આશ્રિત બાળકોનું કરાશે સન્માન
May 20, 2025 11:50 AMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech