ચોમાસા પહેલા રાજ્યમાં જળ સંગ્રહનો વ્યાપ વધે તે મુજબના લોક ભાગીદારીથી હાથ ધરવા માટેના કામો માટે આજથી સમગ્ર રાજ્યમાં કેચ ધ રેન પ્રોજેક્ટ શરૂ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવ્યો છે. આ યોજના અંતર્ગત તારીખ 31 મે સુધી આ કામગીરી ચાલુ રહેશે. ગઈકાલે આ સંદર્ભે મંત્રીઓની મળેલી બેઠક પછી નર્મદા સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ દ્વારા એક પરિપત્ર બહાર પાડીને આ યોજના સંદર્ભે વિસ્તૃત વિગતો પૂરી પાડવામાં આવી છે.
હયાત તળાવો ઊંડા કરવા, હયાત ચેક ડેમોનું ડીશીલ્ટીગ, હયાત જળાશયો અને નદીઓનું ડીશિલ્ટીગ, નુકસાન પામેલા ચેકડેમોનું રીપેરીંગ, નહેરોની મરામત, જાળવણી, સાફ-સફાઈ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ, ખેત તલાવડી માટીપાળા વન તળાવ પીવાના પાણીના સ્ત્રોત ટાંકી સ્ટ્રક્ચર તથા આસપાસની સફાઈ તળાવના વેસ્ટ વીયરના રીપેરીંગ નદીઓના પ્રવાહને અવરોધ રૂપ ગાંડા બાવળ ઝાડીઝાખરા દુર કરવાજેવા કામોને સમાવવામાં આવ્યા છે.
સરકારે આ કામોની સમીક્ષા માટે વન અને પર્યાવરણ વિભાગ શહેરી વિકાસ વિભાગ પાણી પુરવઠા વિભાગ ગ્રામ વિકાસ વિભાગ જળ સંપત્તિ વિભાગના મુખ્ય સચિવ અગ્ર સચિવ કમિશનર અને સચિવ કક્ષાના અધિકારીઓની કમિટીની રચના કરી છે રૂપિયા પાંચ લાખ કે તેથી ઓછી મર્યાદાના કામ માટે જળ સંપતિ વિભાગની અને પાંચ લાગતી વધુના કામ માટે જાહેર નિવિદા બહાર પાડીને કામગીરી કરવાની રહેશે.
આ યોજના અંતર્ગત લોક ભાગીદારીથી કરવાના થતા કામોમાં માટી મોરમના ખોદાણ માટે પ્રતિ ઘન મીટર રુ. 57 ચુકવવામાં આવશે. દરેક જિલ્લામાં ઓછામાં ઓછા પાંચ તાલુકામાં તળાવો ઊંડા ઉતારવાની કામગીરી કરવા માટેની સૂચના આપવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationજામનગરમાં સમૂહ નવકાર મંત્ર જાપ, વિશ્વ નવકાર દિવસની ઉજવણી
April 09, 2025 01:08 PMજામનગરની આ સોસાયટીના સ્થાનિકો પોતાની રક્ષા પોતે જ કરે છે, જુઓ વિશેષ અહેવાલ
April 09, 2025 12:44 PMદુબઈમાં કઈ મહિલાએ પહેરી 100 મિલિયન ડોલરની બ્લુ ડાયમંડ રિંગ? જોનારાઓ રહી ગયા દંગ
April 09, 2025 12:39 PMજામનગર જિલ્લાની ધ્રોલ નગરપાલિકા ફરી વિવાદમાં
April 09, 2025 12:04 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech