જામનગર ના રણજીત સાગર રોડ પર પંપ હાઉસ નજીક કાર અને બાઈક વચ્ચેના અકસ્માતમાં બાઈક સવાર દંપત્તિ ઘાયલ થયું છે, અને સારવાર હેઠળ છે.
આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે જામનગરમાં સુભાષ પરા વિસ્તારમાં રહેતા રાજેશકુમાર કાંતિલાલ સોલંકી ઉંમર વર્ષ ૪૮ કે જેઓ ગઈકાલે પોતાના બાઈકમાં પત્નીને બેસાડીને રણજીત સાગર રોડ પરથી પસાર થઈ રહ્યા હતા, જે દરમિયાન પંપ હાઉસ નજીક જીજે ૧૦ સી.એમ.૪૮૬૦ નંબરની કારના ચાલક રાજેશભાઈ પરમારે બાઈક ને ઠોકરે ચડાવતાં અકસ્માત સર્જાયો હતો, અને બાઈક સવાર દંપત્તિ ઘાયલ થયું હોવાથી જામનગરની સરકારી જી.જી. હોસ્પિટલમાં સારવાર અપાઇ છે. આ અકસ્માતના બનાવવા અંગે કારચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવાઇ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationગુજરાતમાં કોરોના: એક જ દિવસમાં 183 નવા કેસ, એક્ટિવ કેસ 800ને પાર, આરોગ્ય તંત્ર એલર્ટ
June 07, 2025 08:24 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech