પ્રેગનેન્સી દરમિયાન સ્ત્રીએ ઘણી બાબતોનું ધ્યાન રાખવું પડતું હોય છે. ખાસ કરીને સ્વાસ્થ્યની કાળજી રાખવામાં આહારનું યોગ્ય પાલન કરવું ખૂબ જ જરૂરી બની જાય છે. ગર્ભાવસ્થા દરમિયાન કેટલીક વસ્તુઓ ખાવાનું પણ તેમને ટાળવું પડતું હોય છે. ત્યારે કેટલીક મહિલાઓને જુદી-જુદી ક્રેવિંગ પણ થતી હોય છે. એ ક્રેવિંગની સાથે સાથે પણ માતાએ તેના ખોરાકમાં ખાસ કાળજી રાખવી પડે છે, કારણકે આહારની સીધી અસર માતા અને બાળક બંનેના સ્વાસ્થ્ય પર પડે છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓએ ફળો પણ ખાવા જોઈએ. તેમાં રહેલા એન્ટી-ઓક્સિડન્ટ્સ અને વિટામિન્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે પરંતુ કેટલીક સ્ત્રીઓ ગર્ભાવસ્થા દરમિયાન ખાલી પેટે ફળો ખાય છે.
ત્યારે ઇન્ટરનલ મેડિસીન નિષ્ણાત ડોક્ટર કહે છે કે મહિલાઓએ તેમના આહારમાં ફળોનો ચોક્કસપણે સમાવેશ કરવો જોઈએ પરંતુ ફળ ખાવાની સાચી રીત જાણવી ખૂબ જ મહત્વપૂર્ણ છે. નિષ્ણાતો પાસેથી જાણો કે ગર્ભાવસ્થા દરમિયાન ખાલી પેટે ફળો ખાઈ શકાય છે કે નહીં.
શું ગર્ભાવસ્થા દરમિયાન ખાલી પેટે ફળો ખાઈ શકાય?
નિષ્ણાતો કહે છે કે ગર્ભાવસ્થા દરમિયાન ખાલી પેટે ફળો ખાવા સલામત છે. જ્યારે સવારે ઉઠો છો અને ખાલી પેટે ફળો ખાઓ છો ત્યારે તે શરીરને ઉર્જા આપે છે. ફળો ખાવાથી પાચન સરળ બને છે. આ ઉપરાંત, ફળો જરૂરી ફાઇબર પણ પ્રદાન કરે છે, જે કબજિયાતની સમસ્યાને અટકાવે છે.
ફળો શરીરમાં ડિટોક્સિફિકેશનનું કામ કરે છે અને બ્લડ સુગરને સંતુલિત રાખે છે પરંતુ ખાટા ફળો સવારે ખાલી પેટે ન ખાવા જોઈએ. સાઇટ્રસ ફળો પેટમાં એસિડ વધારી શકે છે જે સ્ત્રીના શરીરને નુકસાન પહોંચાડી શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન કયા ફળો સલામત છે?
ગર્ભાવસ્થા દરમિયાન કેળા, સફરજન અને પપૈયા સલામત માનવામાં આવે છે. આ બધા ફળો પચવામાં હળવા હોય છે અને સ્ત્રીના શરીરને જરૂરી પોષણ પૂરું પાડે છે. જોકે, નિષ્ણાત પાસેથી ડાયેટ ચાર્ટ તૈયાર કરાવ્યા પછી જ આહારમાં ફળોનો સમાવેશ કરવો જોઈએ.
ખાવાનો સમય અને રીત
ગર્ભાવસ્થા દરમિયાન ફળો ખાવા ખૂબ જ ફાયદાકારક છે પરંતુ તે યોગ્ય સમયે અને યોગ્ય રીતે કરવું મહત્વપૂર્ણ છે. શરીર હાઇડ્રેટેડ રહે તે માટે સવારે ખાલી પેટ ફળ ખાતા પહેલા પાણી પી શકો છો. પછી ફળ ખાઓ અને થોડા સમય પછી નાસ્તો કરો. જે શરીરને ઉર્જા આપે છે અને સારું પોષણ પણ આપે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationતમિલનાડુના વાલપરાઈમાં બસ 20 ફૂટ ઊંડી ખીણમાં પડી, 30 મુસાફરો ઘાયલ; 72 લોકો હતા સવાર
May 18, 2025 04:23 PMજો આ 5 પ્રકારની સમસ્યા હોય તો છાશ ન પીવી જોઈએ
May 18, 2025 03:50 PMહળવદના સુરવદરમાં પ્રેમ પ્રકરણમાં કરુણ અંજામ
May 18, 2025 03:39 PMપનીર લવર્સ માટે બેસ્ટ છે ચીલી પનીરની રેસીપી, ઝડપથી જાણી લો તેને બનાવવાની સરળ રીત
May 18, 2025 03:27 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech