વિસાવદર માર્કટિંગ યાર્ડ ખાતે ઘઉં અને ચણાની બમ્પર આવકથી યાર્ડમાં માલનો ભરાવો થઈ ગયો હતો. જેમાં રોજ ઘઉંની ૭૦૦૦ હજાર ગુણીની આવક થઈ રહી છે જયારે ચણા, ધાણા, સોયાબિન જેવી જણસો પણ ખૂબ મોટા પ્રમાણમાં આવી રહી છે જેના કારણે યાર્ડ ખાતે ખેડૂતો રાત્રીના જ પોતાના વાહનોમાં ઘઉં અને ચણા લઈ આવી રહ્યા છે જેના કારણે માર્કટિંગ યાર્ડ બહાર વાહનોની લાઈનો લાગી હતી. વિપુલ પ્રમાણમાં ઘઉંની અને ચણાની આવકને કારણે યાર્ડમાં ઘઉં લઇ આવતા ખેડૂતો માટે નોટિસ લખવામાં આવી જેમાં સવાર ના ૧૦-૩૦થી ૫ વાગ્યા સુધી જ યાર્ડમાં ઘઉં લેવામાં આવશે તેવું જણાવ્યું છે. રાત્રીના આવેલ ખેડૂતો આખી રાત પોતાના વાહનોમાં રાખેલ ઘઉંની ચોકીદારી કરતા રહ્યા હતા.
યાર્ડ સત્તાવાળાઓ સામે વ્હાલા દવલાના આક્ષેપો
વિસાવદરના કાલસારી ગામના ખેડૂત હરેશભાઈ દ્વારા આક્ષેપ કરવમાં આવ્યો હતો કે યાર્ડમાં રાત્રીના વગદાર ખેડૂતોના વાહનો યાર્ડમાં લઇ લેવામાં આવ્યા હતા અને અમારા ટ્રેક્ટર યાર્ડ બહાર રોકી દેવમાં આવ્યા હતા. જ્યારે આ વિશે યાર્ડમાં અધિકારીને પૂછતા યાર્ડમાં પૂરતી વ્યવસ્થા છે અને રોજની ૭૦૦૦ હજાર જેટલી ગુણીની આવક છે અને જેે ટ્રેક્ટર રાત્રીના લેવામાં આવ્યા તે ૮ વાગ્યા પહેલા લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - AAJKAALDAILY
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ INSTAGRAM - AAJKAALDAILY
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - AAJKAALDAILY
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં 99251 12230
View News On Applicationપાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી 5 વર્ષમાં વધી કે ઘટી? રિપોર્ટમાં દર્શાવેલા આંકડા તમને ચોંકાવી દેશે
April 12, 2025 04:15 PM૪૦ લાખનું કલેઇમ કૌભાંડ: ડો.અંકિત માસ્ટરમાઈન્ડ: પાંચ પકડાયા
April 12, 2025 03:22 PMCopyright © 2022-2023 Aajkaal Daily
Developed by Rhythm Infotech